Abtak Media Google News

રાજયમાં માર્ગ અકસ્માતની ઘટનાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા સમાચાર સામે આવ્યા છે જેમાં જાનને અકસ્માત નડ્યો હતો.જેમાં ૮ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે પોલીસનો સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહીસાગર જીલ્લાના લુણાવાડા નજીકની છે જ્યાં જાનને ગોઝારો અકસ્માત નડતા જશ્નનો માહોલમાં માતામાં છવાઈ ગયો હતો. ટેમ્પો ખાડીમાં ખાબકતા ૮ લોકોના મોત અને ૨૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં 22 લોકોને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.