Abtak Media Google News

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે ત્યારે આજરોજ સાબરકાંઠામાં મુસાફર ભરેલા ટેમ્પોને અકસ્માત થયો હતો જેમાં ૧૫થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને એક મુસાફરનો મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની છે જ્યાં જાલેટી ગામ નજીક મુસાફર કરેલો ટેમ્પો પલટી ખાઈ  છતાં ૧૫ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયુ. ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં અઆવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

ભિલોડાના ભટેળાથી વિજયનગરના સરસવ મુસાફરો ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો. ભટેળાથી સરસવ લગ્નની ચાંલ્લા વિધિ કરવા પરિવારજનો જતા હતા ત્યાં ટેમ્પો પલ્ટી ખાઈ જતા મુસાફરોને શરીરે ઓછા વત્તી ઈજાઓ થઇ હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું, ઇજાગ્રસ્તોને ભિલોડાની ચોરીમાલા હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ચિઠોડા પોલીસને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.