જી. જી. હોસ્પિટલમાં 45 બેડનો વોર્ડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે શરુ કરાયો છે. જામનગર શહેર સહિત રાજયભરમાં કોરોનાનો બીજો રાઉન્ડ હજુ યથાવત છે. ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગનો પ્રસરાવ વધતા આરોગ્ય તંત્ર સામે વધુ એક વિડંબણા આવી છે. જામનગરમાં દિવસ દરમિયાન 700 ઉપરાંત દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આ નવી બિમારી સતત આગળ વધતા નવી ચિંતા પ્રસરી છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં 45 બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે વોર્ડ શરુ કર્યો છે. હાલ અહી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દી સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં જામનગરમાં મ્યુકરમાઈકોસિસના 20 જેટલા દર્દીઓ નોંધાયા છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયતા રહેતી હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો છે.
Trending
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
- તેજસ્વી પ્રકાશની અદાએ ચાર ચાંદ લગાવ્યા
- કિડનીની પથરીથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરગથ્થુ વસ્તુઓનું સેવન
- જસદણના ગોખલાણામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય