સિધ્ધિ વિનાયક ધામ ખાતે ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ‘મન મોર બની થનગાટ’નો સંગીતસભર કાર્યક્રમ યોજાયો હતો. ઓસમાણ મીરનું ગુજરાતી લોકગાયીકીમાં ખુબ મોટુ પ્રદાન છે. ઓસમાણ મીરના કંઠે ગવાયેલ મહાદેવ તેમજ ગણપતિ ભગવાનની સ્તુતીઓ ખુબજ પ્રખ્યાત થઈ છે. એટલું જ નહીં પણ બોલીવુડમાં પણ ‘મન મોર બની થનગાટ કરે’, ‘લીલી લેમડી રે’ વગેરે જેવા ચાર્ટ બસ્ટરમાં ઓસમાણ મીરે સ્વર આપેલો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખ્યાત ફેલાવીને હવે આ કલાકાર દેશ-વિદેશના સીમાડાઓની પાર નીકળી ગયો છે. ત્યારે ઓસમાણ મીર અને સાથી કલાકારોએ ભારતીય જનતા પાર્ટી આયોજીત આ ગણપતિ મંગલ મહોત્સવમાં ‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમ દ્વારા મોડી રાત સુધી શ્રોતાઓને સંગીતરસથી તરબોળ કર્યા હતા.
Trending
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….