સિધ્ધિ વિનાયક ધામ ખાતે ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ‘મન મોર બની થનગાટ’નો સંગીતસભર કાર્યક્રમ યોજાયો હતો. ઓસમાણ મીરનું ગુજરાતી લોકગાયીકીમાં ખુબ મોટુ પ્રદાન છે. ઓસમાણ મીરના કંઠે ગવાયેલ મહાદેવ તેમજ ગણપતિ ભગવાનની સ્તુતીઓ ખુબજ પ્રખ્યાત થઈ છે. એટલું જ નહીં પણ બોલીવુડમાં પણ ‘મન મોર બની થનગાટ કરે’, ‘લીલી લેમડી રે’ વગેરે જેવા ચાર્ટ બસ્ટરમાં ઓસમાણ મીરે સ્વર આપેલો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખ્યાત ફેલાવીને હવે આ કલાકાર દેશ-વિદેશના સીમાડાઓની પાર નીકળી ગયો છે. ત્યારે ઓસમાણ મીર અને સાથી કલાકારોએ ભારતીય જનતા પાર્ટી આયોજીત આ ગણપતિ મંગલ મહોત્સવમાં ‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમ દ્વારા મોડી રાત સુધી શ્રોતાઓને સંગીતરસથી તરબોળ કર્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો