Abtak Media Google News

શહેરના આરાધના નગર વિસ્તારમાં બીજેપી કાર્યકર્તા કમલાકર પોહણકર સહિત પરિવારના પાંચ સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ઘટના રવિવાર મોડી રાતે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તમામ લોકોને મારવા માટે ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે. હત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું. નાગપુર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ગૃહ નગર છે.

એવામાં ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વિશે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.પોલીસે જણાવ્યું કે કમલાકર તેમની પત્ની અર્ચના (45), દીકરી વેદાંતી (12), માતા મીરાબાઈ (73) અને ભત્રીજા કૃષ્ણાની હત્યા કરવામાં આવી છે. કમલાકારની નાની દીકરી મિતાલી અને ભત્રીજી વૈષ્ણવી બીજા રૂમમાં સૂઈ રહી હતી, જેથી તેમના જીવ બચી ગયા.

કમલાકરની દીકરી અને ભત્રીજીએ સવારે પડોશીઓને ઘટનાની જાણકારી આપી. તેઓએ પોલીસને સૂચના આપી.પોલીસ ઘરમાં દાખલ થઈ તો જોયું કે બેડરૂમથી કિચન અને બાથરુમ સુધી લાશો વિખેરાયેલી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.