Abtak Media Google News

એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. એરપોર્ટમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, નીતિન પટેલ અને  જીતુ વાઘાણીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સંબોધન કરતાં પીએમ મોદીએ પાણીના મહત્વને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાણી એક મોટી સમસ્યા છે, ગુજરાતના લોકો પાણીના મહત્વને સમજ્યા છે. નર્મદા નદી સિદ્ધીી સમૃદ્ધિની યાત્રા છે. ત્યારે ભાજપના નેતૃત્વમાં આવનાર દશકમાં ગુજરાત એક નવી ઊંચાઈએ પહોંચશે.’ પીએમ મોદી સાબરમતી આશ્રમ પહોંચીને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી પર્વ નિમિત્તે ૧૫૦ રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા દ્વારા અન્ય સહયોગી સંસઓની મદદી સાબરમતી આશ્રમ નજીક યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજચંદ્રજી પર એક ટપાલ ટિકિટની સો સ્પેશિયલ ડે કવર તેમજ કોઈન (સિક્કા)ની  રજૂઆત કરશે. શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જયંતીની ધરમપુર આશ્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહાત્મા ગાંધી તા શ્રીમદ્ રાજચંદ્રના આધ્યાત્મ સંબંધોની હૃદયસ્પર્શી કાને નાટક યુગપુરુષ – મહાત્માના મહાત્માનું નિર્માણ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે.ઉજવણીના ભાગરૂપે સાબરમતી પાસે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્િિતમાં  વડાપ્રધાન કોલકાતા ટંકશાળ દ્વારા નિર્મિત બે અલગ અલગ સિક્કાના સેટ રજૂ કરશે.  જેમાં ૩૫ ગ્રામ વજન ધરાવતો અન્ય ધાતુઓની સો ૫૦ ટકા ચાંદીના મિશ્રણી તૈયાર યેલો રૂપિયા ૧૫૦ની કિંમતનો સિક્કો છે જે સ્મારક તરીકે રહેશે અને ચલનમાં નહીં આવે. જ્યારે બીજો સિક્કો ૧૦ રૂપિયાની કિંમતનો હશે અને તે બાઈ-મેટલ ટેકનીકી તૈયાર યેલો છે અને તે પાછળી બજારમાં ચલનમાં આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.