Abtak Media Google News

ઉપલેટાના સમસ્ત બ્રહ્મસમાજના નવ નિયુકત પ્રમુખ દ્વારા શહેરના પ્રતિષ્ઠીત નાગરીકો અને સમાજમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરનારાઓનું સન્માન સમારોહ યોજાયો હતો.Untitled 1 10સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ પ્રદિપભાઇ જોષી દ્વારા અન્ય સમાજને નવો રાહ ચિંધનાર જાણીતા શિક્ષણ શાસ્ત્રી સ્વ. નારણભાઇ સોજીત્રાનું મરણોતર સન્માન કરી બ્રહ્મસમાજે રૂણ અદા કરેલ હતું તેમજ રાજય આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ. માંગરોલીયા, નીતીષભાઇ વ્યાસ, ડો. નાયક, ડી.વાય.એસ.પી. બનો જોષી, રાજકોટ ચેરીટી કમિશ્નર ચિરાગભાઇ જોશ, આઇ.કે. ભટ્ટ, કમલપ્રસાદ ભટ્ટ સહીતનાઓનું મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા.

આ તકે આહીર સમાજના પ્રમુખ પ્રવીણભાઇ ભેડા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઇ ગણાત્રા, નગરશેક અમિતભાઇ શેઠ, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના મિલનભાઇ ગજેરા, રસીકભાઇ સોજીત્રા, અશોકભાઇ ચંદ્રવાડીયા, ભરતભાઇ સોજીત્રા, ભરતભાઇ રાણપરીયા, સહીતના આગેવાની હાજરી રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદીપભાઇ જોષી, મંત્રી ગૌતમભાઇ વ્યાસ, દિલીપભાઇ જોષી, કમલેશભાઇ વ્યાસ, નવનીતભાઇ પંડયા, સી.આર.વ્યાસ, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.