Abtak Media Google News

માલધારીઓના ઉત્કર્ષ માટે ચર્ચા વિચારણા કરી યોજના ઘડાશે:

સૌરાષ્ટ્રના વિચરતા માલધારીઓ માટે તા. ર7ને શનિવારે રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ આર્યનગર ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે.

Advertisement

સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમા માલધારી સમુદાયને મુખ્યધારા સાથે જોડી તેમની આજીવિકાના વિવિધ આયામો વિકસાવીને એમની આર્થિક સામાજિક પરિસ્થિતિને વધુ મજબૂત કરવા કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી  પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે તા. 27 માર્ચના રોજ એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ – ગાંધીનગર, સુરસાગર ડેરી સુરેન્દ્રનગરના સહયોગથી સહજીવન સંસ્થા ભુજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી (આઈ.સી.એ.આર)  દ્વારા હાલારી ગધેડાને દેશની નવી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળવાથી અને હાલારી ગધેડીનું દૂધ વિશ્વમાં સૌથી મોંઘા ભાવનું દૂધ હોવાથી સૌરાષ્ટ્રના હાલારી ગધેડાએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે હાલારી ગધેડા ની વસ્તી નેટિવ ટ્રેકમાં 650 જેટલી રહી છે અને હવે ખતમ થવાને આરે છે  હાલારી ગધેડાના સંવર્ધન અને સંરક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવા માટે નિષ્ણાતો અને સંશોધકો દ્વારા આ સેમિનારમાં ચર્ચા વિચારણા કરી યોગ્ય રણનીતિ ઘડવામાં આવશે.

સુરેન્દ્રનગર દૂધ સહકારી સંઘ સંચાલિત સુરસાગર ડેરી દ્વારા કલેક્શન અને અમૂલ દ્વારા માર્કેટિંગ કરવા માટે પ્રાથમિક તબક્કાની તૈયારી કરવામાં આવી છે.  પશુપાલન વિભાગ-ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બકરાના દૂધની ડેરી ની સ્થાપના માટે નાણાકીય સહયોગ મળે એ માટે એ તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં પશુપાલન વિભાગ ને રજુ કરવામાં આવશે દરમ્યાન બકરીના દૂધની એક નવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે જેનું આ કાર્યક્રમમાં લોન્ચિંગ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના વિચારતા માલધારી સમુદાયોના સર્વાંગી વિકાસની લાંબાગાળાની રણનીતિ ઘડવાના આયોજન સાથે મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં માલધારી સમુદાયોની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરી માલધારીઓ અને તેમના પશુધનની અલગથી વસ્તી ગણતરી કરવા ઉપરાંત જરુરી નવી યોજનાઓ બનાવવા કેન્દ્ર સરકાર સાથે મસલત કરવી એ આ સેમિનારનું મુખ્ય ઉદ્દેશ છે.

આ સેમિનારમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી  પરષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે રાજકોટ જિલ્લા કલેકટર  રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ તેમજ સંયુક્ત પશુપાલન નિયામક રાજકોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ સેમિનાર  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, આર્ય નગર રાજકોટ ખાતે તા. 27-32021 ના રોજ સવારે 10 થી સાંજે 4:30 વાગ્યા સુધી યોજાશે. સેમિનારની સાથે સાથે કચ્છ-સૌરાષ્ટ્રના માલધારીઓની સંસ્કૃત જીવનશૈલીને આવરી લેતું માલધારી એક્ઝિબિશન પણ ખુલ્લુ મુકવામાં આવશે. વિચરતા માલધારી સમુદાયો અને તેમના પશુધનની વિવિધ પ્રોડક્ટ જેવી કે કેમલ મિલ્ક પ્રોડક્ટ, બકરીના દૂધની પ્રોડક્ટ ઘેટાના ઉનની પ્રોડક્ટ વગેરે પ્રદર્શિત કરવામાં આવશે.  આ સેમિનાર સરકારની પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમો અને સ્થળ યોજવામાં આવશે તેવું સહજીવન સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનોજ મિશ્રાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.