Abtak Media Google News

ચેરમેન અને અધરધેન ચેરમેન માટે મોટાભાગની ફેકલ્ટીઓ બીનહરીફ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની કાયમી નિયુક્તિના અભાવે ચૂંટણી પ્રક્રિયા લંબાવાઈ છે. કાર્યકારી કુલપતિ દ્વારા સિન્ડીકેટની ચૂંટણી જાહેર કરી દેવાયા બાદ હવે ડીન અને અધરધેન ડીનની ચૂંટણી અને એકેડેમીક કાઉન્સીલની રચના ૨૩મી મેએ અગાઉ શરૂ થશે તેવી હિલચાલ શરૂ થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીન અને અધરધેન ડીન તેમજ સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની ચૂંટણી તા.૨૩મી મે અગાઉ જ યોજવામાં આવશે. ત્યારબાદ નવા ચહેરાઓ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના ૬૮ સ્ટડી બોર્ડની ચૂંટણી પૂરી વામાં છે. તેમાંથી ચેરમેન અને અધરધેન ચેરમેન માટે છ ફેકલ્ટીઓ બીન હરીફ થઈ ચૂકી છે. આજે બીજી પાંચ ફેકલ્ટીઓની ચૂંટણીની ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે સ્ક્રુટીની બાદ તેઓના નામ જાહેર કરવામાં આવશે.

Dhiren Pandya

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધીરેન પંડયાએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સપના ૨૩મી મેના રોજ કરવામાં આવી હતી. જેને લઈ દર વર્ષે ૨૩ મે અગાઉ જ સિન્ડીકેટની ડીન અને અધરધેન ડીન તેમજ એકેડેમીક કાઉન્સીલની રચના કરવામાં આવતી હોય છે. ખાસ તો યુનિવર્સિટીમાં માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન પરીક્ષાનો માહોલ જોવા મળતો હોય છે. જેથી પરીક્ષા પત્યા બાદ મે માસ દરમિયાન આ બધી ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. વેકેશનમાં ચૂંટણી યોજવાી અધ્યાપકો પણ ફ્રિ થઈ જતા હોય છે. તેમજ ચૂંટણીમાં પણ મતદાન વધુ થાય તે માટે વેકેશન દરમિયાન ચૂંટણી યોજવાનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.