Abtak Media Google News

વોર્ડ નં.૧ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કુલ દ્વારા કે.જી. વિભાગના ભૂલકાઓને ચૌકીધારી સાંઈ બાબા મંદિર તથા ઘંટેશ્ર્વર જલારામબાપા મંદિર પ્રવાસમાં લઈ જવાયા હતા. શિક્ષકોએ બાળકોને સાંઈ બાબા તથા જલારામબાપના વિષે માર્ગદર્શન આપ્યું હતુ જેમાં ત્રણ બાળકો દ્વારા પ્રવાસનું તાદર્શ વર્ણન રજૂ કરાતા આ ત્રણ બાળકોને જલારામ મંદિર ટ્રસ્ટી ભરતભાઈ અનડકટે રોકડ ઈનામો આપી સન્માનીત કર્યા હતા. આ પ્રવાસનું આયોજન સ્કુલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, આશાબા જાડેજા, અર્ચનાબા જાડેજા, અદિતિ ભટ્ટની દેખરેખ હેઠળ યોજાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.