Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સાથે જૈન અગ્રણીઓની બેઠક

જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા એસ.પી. ડી.વાય.એસ.પી. પી.આઇ.નું કરાયું બહુમાન

સુરેન્દ્રનગરના જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા તાજેતરમાં જૈન સમાજના આગેવાનો અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઇ બગડીયા, ડી.વાય.એસ.પી. એ.બી. વાળંદ, એલ.સી.બી. પી.આઇ. ઢોલ વગેરેની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા ઉ૫સ્થિત મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા જિલ્લા પોલીસ વડા બગડીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ કરતા કોઇપણ ચમરબંધીને છોડવામાં નહી આવે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લામાં રીઢા, નામચીન ગુનેગારો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ગુનાખોરી પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે.

આ પ્રસંગે જય જિનેન્દ્ર સેવા ગ્રુપના એડવાઇઝર વિપીનભાઇ ટોલીયા, ભુપેન્દ્રભાઇ સંઘવી જે.એમ. શાહ, કિશોરભાઇ કુવાડીયા, ભાવેશભાઇ વોરા, હેમંતભાઇ શાહ જય જિનેન્દ્ર સેવા ગ્રુપના પ્રમુખ આનંદભાઇ શાહ પૂર્વ પ્રમુખ ઉદયભાઇ સંઘવી ઉપપ્રમુખ મેહુલભાઇ શાહ મંત્રી દર્શનભાઇ શાહ, રાજુભાઇ કાચવાળા, મલયભાઇ વસાણી, ભાવિક ગાંધી, વિરલ ગાંધી, હિતેશ ડગલી વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.