Abtak Media Google News

બહારથી આવેલા વેપારી-ઉદ્યોગપતિઓના આગમનથી ક્યારેય સ્થાનિકોનું શોષણ થતું નથી: ત્રણ અર્થશાસ્ત્રીઓના રસપ્રદ તારણને મળ્યું સહિયારૂં નોબેલ

માનવ જાત માટે કંઇક નોખું અનોખું અને ફાયદારૂપ, કલ્યાણકારી કામ કરનારને નોબલથી નવાજવામાં આવે છે. અત્યાર સુધીની દુનિયામાં સાહિત્ય અને શાંતિ માનવ જાતના કલ્યાણ માટે જરૂરી બની હતી. હવે સમય બદલાયો છે અર્થકારણ દુનિયા અને સમાજ માટે જરૂરી બન્યું છે ત્યારે હવે નોબલ એવોર્ડ માટે અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી છે. આ વખતની નોબલ એવોર્ડ ત્રણ અર્થશાસ્ત્રીઓને આપવામાં આવ્યું છે.

સ્થાનિક, રોજગારી અને આર્થિક ભાષાઓના વિસ્તૃત અભ્યાસ બાદ અર્થશાસ્ત્રીઓએ એવું તારણ કાઢ્યું છે કે બહારથી આવતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના આગમનથી ક્યારેય સ્થાનિક કામદારોનું શોષણ થતું નથી. લઘુત્તમ વેતન અને આવકનો આધાર કામ કરનારના શિક્ષણ અને કૌશલ્ય પર આધારિત છે. આ વર્ષનું ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ અમેરિકા સ્થિત ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે. આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ એવા સામાજિક વિષય ઉપર સંશોન કર્યું હતું જેણે પૂરવાર કરી દીધું હતું કે લઘુતમ પગારમાં વારો કરવાથી કર્મચારીઓને નિમણૂક કરવામાં કોઇ ઘટાડો થતો નથી.

આ સંશોધનમાં એ પણ પૂરવાર થયું હતું કે જે સ્થળાંતરિત આવેતું ધંધાર્થીઓ અને વેપારીઓ છે તે પોતાના જ દેશમાં જન્મેલા કર્મચારીઓ અને કામદારોને સહેજપણ ઓછો પગાર આપતા નથી. આ સંશોધનથી સમાજમાં પ્રવર્તી રહેલી ખોટી માન્યતાનો સદંતર છેદ ઉડી ગયો હતો.

પશ્ચિમના દેશોમાં સામાન્ય એવી છાપ પ્રવર્તે છે કે સ્થળાંતરિત આવેતું વેપારીઓ અને ધંધાર્થીઓ પોતાના દેશમાં જન્મેલા કામદારો અને કર્મચારીઓને નિયમ કરતાં ઓછો પગાર આપે છે.અન્ય બે અર્થશાસ્ત્રીઓએ આવા પ્રકારના સામાજિક વિષયનો અભ્યાસ કરવા ્વનવા માર્ગ શોધી કાઢ્યા હતા જે બદલ તેઓને પણ સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ અપાશે.

કેનેડામાં જન્મેલા અને યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયા, બર્કલેના પ્રોફેસર ડેવિડ કાર્ડને નોબેલ પ્રાઇઝની રકમમાંથી 50 ટકા હિસ્સો આપવામાં આવશે.કાર્ડે પોતાના સંશોધનમાં લઘુતમ વેતન દર, સ્થળાંતરિત આવેતું અને શિક્ષણ જેવા મહત્વના પાસાં કેવી રીતે દેશના લેબર માર્કેટને પ્રભાવિત કરે છે તે શોધી કાઢ્યું હતું. નોબેલ પ્રાઇઝની બાકીની 50 ટકા રકમ માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના જોશુઆ એન્ગ્રિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટિના ડચ પ્રોફેસર ગીડો ઇમ્બેનને સંયુક્ત રીતે અપાશે.

આ બે અર્થશાસ્ત્રીઓએ આ સામાજિક વિષયનું તમામ પારંપારિક અને વૈજ્ઞાાનિક પદ્ધતિઓને બાકાત રાખીને પોતાની તદ્દન નવતર પદ્ધતિએ સંશોધન કર્યું હતું. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સે કહ્યું હતું કે આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિજ્ઞાનના શાસ્ત્રના તમામ પ્રયોગ મૂલક કામને તદ્દન નવો જ ઓપ આપ્યો છે.

વિદેશોના સમાજમાં અત્યંત મહત્વના ગણાતા પ્રશ્નો અને સમસ્યા વિશે કાર્ડે સંશોધન કર્યું હતું જ્યારે એન્ગ્રિસ્ટ અને ઇમ્બેનના પદ્ધતિસરના યોગદાને દર્શાવી આપ્યું છે કે કુદરતી પ્રયોગો જ્ઞાનના સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે એમ ઇકોનોમિક સાયન્સ કમિટિના ચેરમેન પિટર ફ્રેડરિક્સને કહ્યું હતું. તેઓના સંશોધનથી મહત્વના સામાજિક પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર અંગેની અમારી ક્ષમતામાં ધરખમ વધારો થયો છે જે સમાજ માટે સૌથી લાભદાયી બની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

આલ્ફર્ડ નોબલને ઓળખો છો ?

આલ્ફર્ડ નોબલ વૈજ્ઞાનિક હતા. તેમણે 355 શોધ કરી હતી જેમાં ડાયનામાઇટનો પણ સમાવેશ થાય છે. 1896માં મૃત્યુ પહેલા તેમણે પોતાની સંપતિનો મોટો ભાગ ટ્રસ્ટ માટે રાખી દીધો હતો. તેમની ઇચ્છા હતી કે આ પૈસાના વ્યાજમાંથી દર વર્ષે એવા લોકોનું સન્માન કરવામાં આવે જેનું કામ માનવ જાત માટે સૌથી વધુ કલ્યાણકારી હોય. સ્વિડનની બેંકમાં જમા રકમના વ્યાજમાંથી દર વર્ષે નોબલ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. નોબલ ફાઉન્ડેશનની સ્થાપના 29 જૂન 1900માં થઇ હતી.

માનવજાત માટે યશસ્વી યોગદાન અને ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપનારને મળે છે ‘નોબલ પુરસ્કાર’

નોબલ પ્રાઇઝનો ઇતિહાસ ઇ.સ.1901થી શરૂ થયો છે. સ્વિર્ડનના વિજ્ઞાનિક આલ્ફર્ડ નોબલની યાદમાં એવા લોકોને સન્માનિત કરવામાં આવે છે. માનવ જાતિને સૌથી વધુ લાભપ્રદ પ્રવૃતિ કરી હોય આ એવોર્ડ શાંતિ, સાહિતી, ભૌતિક, રસાયણ, તબીબી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ પુરસ્કારના રૂપમાં આપવામાં આવે છે કે જેમાં એક મેડલ અને એક ડીપ્લોમાં અને મોનીટરી એવોર્ડ આપવામાં આવે છે.

નોબલ પ્રાઇઝ વિજેતા ભારતીયો

  1. રવિન્દ્રનાથ ટાગોર, સાહિત્ય
  2. ચંન્દ્રશેખર વેંકટરમન, ફિઝીક્સ
  3. મધર ટેરેસા, શાંતિ
  4. અમર્ત્ય સેન, અર્થશાસ્ત્ર
  5. કૈલાશ સત્યાર્થી, શાંતિ
  6. હરગોવિંદ ખુરાના, મેડિકલ
  7. સુબ્રમણ્યમ ચંન્દ્રશેખર, ફિઝીક્સ
  8. વેંકનરામન રામકૃષ્ણ, રસાયણ
  9. વીએસ નાયપોલ, સાહિત્ય
  10. અભિજીત બેનર્જી, અર્થશાસ્ત્ર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.