Abtak Media Google News

હેરિટેજ સ્થળોની પર્યાવરણ સુરક્ષાને ધ્યાને રાખી હાઇડ્રોજન ઇંધણ આધારીત ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો

ભારતીય રેલવેએ દેશના મુખ્ય હેરિટેજ ટ્રેન રૂટ પર હાઇડ્રોજન ટ્રેન દોડાવાની તૈયારી કરી લીધી છે. જર્મની, ચીન અને ફ્રાન્સ પછી ભારત વિશ્વનો ચોથો દેશ હશે જ્યાં હાઈડ્રોજન ઈંધણ પર ટ્રેનો દોડતી થનારી છે.

ભારતીય રેલવેએ દેશના મુખ્ય હેરિટેજ ટ્રેન રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવવાની તૈયારી કરી છે. જર્મની, ચીન અને ફ્રાન્સ પછી હાઇડ્રોજન ઇંધણ પર ટ્રેન ચલાવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. વર્તમાન વર્ષ ૨૦૨૩ દરમિયાન આ ટ્રેનોને પ્રથમ તબક્કામાં પસંદગીના આઠ મુખ્ય હેરિટેજ રેલવે ટ્રેક રૂટ પર ચલાવવામાં આવશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને હેરિટેજ રેલ રૂટ પર હાઇડ્રોજન ફ્યુઝ આધારિત ટ્રેનો ચલાવવામાં આવશે. આમાંની મોટાભાગની નેરોગેજ લાઇન છે, જ્યાં ઓછા વજનની ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનોને ‘વંદે મેટ્રો’ તરીકે ઓળખવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે રેલ્વેને જંગી બજેટની જરૂર છે. રેલ્વેએ ભારત સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે.

સેન્ટ્રલ રેલ્વેની માટેરન હિલ્સ રેલ્વેમાં નેરોગેજના ૧૯.૯૭ કિમી પર હાઇડ્રોજન એન્જીન, ઉત્તરપૂર્વ સીમા રેલ્વેમાં નેરોગેજ લાઇનની ૮૮.૬ કિમી, ઉત્તર રેલ્વેમાં કાલકા-શિમલા રેલ્વેની ૯૫.૪ કિમી નેરોગેજ લાઇન અને ૧૬૪ કિ.મી.ની નેરોગેજ લાઇન પર ટ્રેનો દોડતી થનારી છે. એ જ રીતે પશ્ચિમ રેલવેની બિલમોરા વઘાઈની ૬૨.૭ કિમી લાંબી મીટરગેજ લાઇન, મહુ-પાતાલપાનીની ૫૮ કિમી લાંબી મીટરગેજ, દક્ષિણ રેલવેની નીલગિરી માઉન્ટેન રેલ્વેની ૪૬ કિમી લાંબી મીટરગેજ લાઇન અને મારવાડ-દેવગરની ૫૨ કિમી લાંબી મીટરગેજ લાઇન ઉત્તર પશ્ચિમ રેલ્વેની હાઇડ્રોજન સંચાલિત ટ્રેનોમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર આ તમામ હેરિટેજ રેલ્વે લાઈનો પર હાલમાં ડીઝલ એન્જિનવાળી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે પરંતુ આ તમામ લાઈનો એવા વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં પર્યાવરણ ખૂબ જ સંવેદનશીલ હોય છે.  તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને, પ્રદૂષણ મુક્ત ઇંધણનો ઉપયોગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.