Abtak Media Google News

હેટ સ્પીચ મામલે કાર્યવાહી નહીં કરાય તો ક્ધટેમ્પ ઓફ કોર્ટ ગણવામાં આવશે: સુપ્રીમ

’નફરતી બોલ’ એટલે કે હેટ સ્પીચ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. હેટ સ્પીચ થકી સમાજમાં કોમી વૈમનસ્યનું વાતાવરણ ઉભું કરનારાઓ સામે ફરિયાદ નોંધ્યા વિના જ તૂટી પડવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, જો આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેને કોર્ટનું તિરસ્કાર માનવામાં આવશે અને એક્શન નહીં લેનારી ઓથોરિટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચના મામલે થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે, આવા મામલે સરકાર અને પોલીસ ફરિયાદની રાહ જોયા વિના સુઓ મોટો એક્શન લે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તરાખંડ અને યુપી સરકારને તેમના જ્યુરિડિક્શનમાં થયેલા હેટ સ્પીચના મામલામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું. કોર્ટે કહ્યું કે, ચેતવણી આપતા કહ્યું કે, જો હેડ સ્પીચ મામલે કેસ કરવામાં ખચકાટ અનુભવાશે તો તેને ક્ધટેમ્પ ઓફ કોર્ટ માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હેટ સ્પીચ ક્રાઈમમાં ફરિયાદની રાહ જોવામાં ન આવે અને સરકાર આવા ગુનાના મામલે સુઓ મોટો એક્શન લે. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ સામે દાખલ અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે, 21 મી સદી ચાલી રહી છે અને ધર્મના નામે પર આપણે ક્યાં પહોંચી ગયા. બંધારણની કલમ-51એ સાયન્ટિફિક ટેન્પરની વાત કરે છે અને આપણે ધર્મના નામ પર ક્યાં પહોંચી ગયા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રાયની બેન્ચે કહ્યું કે, દિલ્હી સરકાર, ઉત્તરાખંડ સરકાર અને યુપી સરકાર હેટ સ્પીચ મામલામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરે. તેમના જ્યુરિડિક્શનમાં જે હેટ સ્પીચ ક્રાઈમ થયા છે, તેના પર રિપોર્ટ રજૂ કરે.

સુપ્રીમ કોર્ટે ચેતવ્યા કે, જો કાર્યવાહી કરવામાં મોડું થયું કે, ખચકાટ થયો તો ક્ધટેપ્ટ ઓફ કોર્ટ થશે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહેવાયું હતું કે, મુસ્લિમ કોમ્યુનિટીને હેટ સ્પીચ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેને રોકવું જોઈએ. અરજીમાં કહેવાયું હતું કે, સંબંધિત ઓથોરિટી આ પ્રકારના મામલે એક્શન નથી લઈ રહી. કોર્ટે કહ્યું કે, અમે અનુભવીએ છીએ કે કોર્ટની ડ્યુટી છે કે તે લોકોના મૌલિક અધિકારોનું રક્ષણ કરે અને બંધારણીય મૂલ્યોનું રક્ષણ થાય. કાયદાના શાસનને જાળવી રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે, દેશ સેક્યુલર લોકશાહી પ્રકૃતિનો છે. ભારતનું બંધારણ કહે છે કે, દેશ સેક્યુલર છે અને દરેક વ્યક્તિની ગરિમા અને ભાઈચારાને સુનિશ્ચિત કરવું ફરજિયાત છે અને બંધારણની પ્રસ્તાવના એ જ સિદ્ધાંત આપે છે.

સુપ્રીમ કોર્ટમાં અપીલકર્તાએ સવાલ ઉઠાવ્યો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી પણ એક્શન નથી લેવાઈ રહ્યા. આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. અપીલકર્તા શકીન અબ્દુલ્લા તરફથી કપિલ સિબલે કહ્યું કે, ભાજપના નેતા પરવેશ વર્માએ હેટ સ્પીચ આપી અને કહ્યું કે, મુસ્લિમ કોમ્યુનિટીનો આર્થિક બહિષ્કાર થવો જોઈએ. બેન્ચે કહ્યું કે, શું મુસ્લિમ કોમ્યુનિટીના લોકો પણ એવું બોલે છે. તેના પર સિબલે કહ્યું કે, કોઈને પણ છોડવા જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોસેફે કહ્યું કે, બંધારણની કલમ-51 મૌલિક ફરજની વાત કરે છે, જેમાં સાયન્ટિફિક ટેમ્પરની વાત કરવામાં આવે છે, પરંતુ ધર્મના નામ પર આપણે ક્યાં પહોંચી ગયા એ દુ:ખદ છે. જસ્ટિસ રાયે કહ્યું કે, જે પણ નિવેદન અપીલકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યા છે, તે ઘણા પરેશાન કરનારા છે. આ દેશ લોકતાંત્રિક છે અને ધર્મ નિરપેક્ષ છે. સિબલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના મામલામાં સ્ટેટસ રિપોર્ટ માગ્યા છે. ચૂપ રહેવું જવાબ નથી, આવા મામલામાં કોઈપણ ચૂપ ન રહે. આ લોકો રોજ આ પ્રકારની હેટ સ્પીચ આપી રહ્યા છે. જસ્ટિસ રાયે કહ્યું કે, હેટ સ્પીચથી સંબંધિત નિવેદન નિંદનીય છે અને પરેશાન કરનારું છે.

હેટ સ્પીચ મામલે પગલાં નહીં લેનારી ઓથોરિટી સામે સુપ્રીમ એક્શન લેશે !!

દિલ્હી સરકાર,ઉત્તરાખંડ સરકાર અને યુપી સરકારને નિર્દેશ આપવામાં આવે છે કે, હેટ સ્પીચ જે તેમના જ્યુરિડિક્શનમાં થઈ છે, તે મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે. દિલ્હી, સરકાર, ઉત્તરાખંડ સરકાર અને યુપી સરકાર એ વાતને સુનિશ્ચિત કરે કે જ્યારે પણ હેટ સ્પીચની ઘટના બને છે, તો તે પોતે આઈપીસીની કલમ 153-એ, 153-બી, 295-એ અને 506 અંતર્ગત કેસ નોંધે અને તે કોઈ ફરિયાદની રાહ ન જુએ. તંત્ર કેસ નોંધે અને આરોપી સામે કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ કરે. જો આ મામલે એક્શન લેવામાં ખચકાટ કરાશે અને કાર્યવાહી નહીં કરાય તો પછી તેને ક્ધટેપ્ટ ઓફ કોર્ટ મનાશે અને સંબંધિત જવાબદાર અધિકારી સામે એક્શન લેવાશે.

ભારતની ધર્મ નિરપેક્ષતાની ઓળખને લાંછન લગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી સરકારને ટાંકીને કહ્યું છે કે, સરકારો એ વાતને સુનિશ્ચિત કરે કે આ મામલામાં જે નિર્દેશ અપાયા છે, તેના પર તાત્કાલિક કાર્યવાહી થાય અને હેટ સ્પીચ આપનારા સામે એક્શન લેવાવા જોઈએ પછી તે કોઈપણ ધર્નો કેમ ન હોય, જેથી પ્રસ્તાવના અંતર્ગત જે ભારતની ધર્મનિરપેક્ષ પ્રકૃતિ છે, તેને સંરક્ષિત રાખી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.