સરકાર, સંગઠન અને કલાકાર આ ત્રણેયનો સમન્વય એટલે “ગુજરાત કલાવૃંદ કલાવૃંદના હોદેદારો આજ રોજ ગાંધીનગર ખાતે કમલમની શુભેચ્છા મુલાકાત માટે ગયેલા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તેમજ વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની રૂબરૂ મુલાકાત કરી કલાવૃંદએ કલાકારો માટે વિવિધ માંગણી અંગે ચર્ચા કરી હતી. તેમજ કલાવૃંદની સંગઠન સરચના પૂર્ણ કરી સંગઠનને તેમજ સરકારના પ્રતિનિધિને સુપરત કરેલ હતી. આગામી દિવસોમાં સંગઠન અને સરકારના માર્ગદર્શન તેમજ નિર્દેશો અનુસાર કામગીરી કરવામાં આવશે. કલાકારોની લાગણી અને માંગણી પણ સરકાર તેમજ સંગઠન સુધી પહોંચાડવામાં આવી છે. તેમ અંતમાં ગુજરાત કલાવૃંદના સંસ્થાપક સંજય પંડ્યા અને સનત પંડ્યા, ધર્મેશ મકાતી, ચિરાગ શાસ્ત્રીએ યાદીમાં જણાવ્યું છે. હોમ કવોરન્ટાઈન હોવાના કારણે દેવ ભટ્ટ અને જીતુ પરમાર જઈ શક્યા ન હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે