Abtak Media Google News

7 ઓગસ્ટના રોજ રૂપાણી શાસનના ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ની માફક ‘મનની મોકળાશ’ નામથી સંવાદ કરવાની શરૂઆત કરશે. મુખ્યમંત્રી ‘મનની મોકળાશ’ કાર્યક્રમની શરૂઆત સૌથી પહેલાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે વાતચીત કરીને કરશે.

Advertisement


રૂપાણી સરકારના ત્રણ વર્ષની મહાત્મા મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અલગ અલગ પાંચ યોજનાની જાહેરાત કરાશે. જેમાં સોલાર રૂફટોપથી લઈ પીએચડી સ્કોલરને સ્કોલરશિપ યોજના સહિત અનેક યોજના લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.