Abtak Media Google News

જૈન દશેનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીથે ઊભું નથી કરતાં પણ માત્ર તીથેનો પુનરુધ્ધાર કરે છે. પ્રભુ મહાવીર પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા. જૈન આગમ શ્રી સૂયગડાંગ સૂત્ર કહે છે કે જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીથઁકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જ  ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.

આ અહિંસામય ધમે જ ધ્રુવ અને શાશ્વત છે.અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ 30 માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વષે અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આયે તેમજ અનાયે ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ – ગજબની સાધના – આરાધના કરી. કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે શ્યામક ગાથાપતિની સુથાર શાળામાં ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર ગોદુ આસને વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દશેનની પ્રાપ્તિ થઈ ત્યારે ધમે દેશના અથોત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે માત્ર દેવોની જ ઉપસ્થિતિ હતી. અવ્રતી હોવાને કારણે વ્રત – પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે.આ ઘટના જૈન દશેનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના – સદ્દબોધ આપ્યો.

Screenshot 1 24

પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ઈન્દ્રભુતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા.અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીથેની સ્થાપના કરી એટલે કે ચતુર્વિધ સંઘ  સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પ્રભુના શાસનમાં 14000 શ્રમણો, 36000 શ્રમણીઓ, 159000 શ્રાવકો તથા 318000 શ્રાવિકાઓ હતી.

પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુએ ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીથઁકર ભગવંતો રાખતા હતા. ગૌતમ ગણધર હોય કે ગોશાલક, ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સપે હોય. પ્રભુએ ફરમાવ્યુ કે…પ્રત્યેક જીવને સુખ પ્રિય છે.

દરેક જીવોને જીવન પ્રિય છે, મરવુ કોઈને ગમતું નથી.

ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ – શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો. વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે,પારસી ધમેમાં જે સ્થાન અવેસ્તાનું છે,ઈસાઈ ધમેમાં જે સ્થાન બાઈબલનું છે, ઈસ્લામ ધમેમાં જે સ્થાન કુરાનનું છે, તેવી રીતે જૈન ધમેમાં આગમ – શાસ્ત્રોનું અનેરુ સ્થાન છે.

આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત. પ્રભુની અનંતી કૃપાથી જ વતેમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે. સ્થાનકવાસી તિથિ પંચાંગ મુજબ 22/5/2021 શનિવારે વૈશાખ સુદ અગિયારસ છે. જિન શાસનનો 2577 મો સ્થાપના દિવસ છે તથા ઉપકારી 11 ગણધર ભગવંતોનો દિક્ષા દિવસ પણ છે. પ્રભુ મહાવીર નિવોણ પધાર્યા ને 2547 વષે થયા, હજુ પંચમ આરાના 18453 વષે આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું, વિજયવંતુ, જયવંતુ રહેવાનું છે. શાસન સ્થાપના એવમ્ ગણધર ભગવંતોના દીક્ષાના મંગલ દિવસે પ્રભુ મહાવીરને, ગણધર ભગવંતોને તથા અનંતા તીથઁકર પરમાત્માઓને કોટી…કોટી વંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.