Abtak Media Google News

કોરોના મહામારીના બીજા અને ભયાનક વેવમાંથી આપણે હજુ  પુરા બહાર આવ્યા નથી ત્યાં ત્રીજા વેવ વિશે આગામી થવા માંડી છે અને નિષ્ણાતોના મતે ત્રીજા વેવમાં બાળકો વધુ સપડાય એવું લાગે છે ત્યારે ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટ દ્વારા સંભવિત ત્રીજા વેવને ઘ્યાનમાં રાખી કોરોના કાળમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે જરુરી આગોતરા સાવચેતીમાં પગલા લઇ શકાય એ માટે આજે અને કાલે રાત્રે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે 9.30 વાગ્યે બાળકો અને કોરોના વિશે તથા આવતીકાલે શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે ગર્ભાવસ્થા અને કોરોના વિષય પર દેશનાં જાણીતા તબીબો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના ફેસબુક પેઇઝ પરથી આ બન્ને લોક દરબારનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. એમ ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી તથા સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે.

અત્યારે ભારતમાં કોરોના મહામારી ધીરે ધીરે કાબુમાં આવી રહી હોય એવું લાગે છે. કેસ થોડા ઘટયા છે જો કે હજુ પણ કોરોના પૂર્ણ રીતે કાબુમાં આવી ગયો એવું કહી ન શકાય. લોકોએ હજુ પણ સાવચેત રહેવું ખુબ જરુરી છે. આવા સમયે વિશ્ર્વના નિષ્ણાંત તબીબો દ્વારા હજુ કોરોનાનો ત્રીજો વેવ આવશે એવી શંકા વ્યકિત કરવામાં આવી રહી છે અને આ ત્રીજા વેવમાં બાળકો વધારે પ્રમાણમાં સંક્રમિત બનશે એવા એંધાણ છે ત્યારે આપણે સાવચેત બનવુ જરુરી છે. અમે ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને આજે તા. 20-5-21ને ગુરુવારે રાત્રે 9.30 કલાકે બાળકો અને કોરોના વિષય પર લોક દરબારનું આયોજન કર્યુ છે. જેમાં અમદાવાદના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. રાજુ સી. શાહ, ડો. બલદેવ પ્રજાપતિ, ડો. અભય શાહ, રાજકોટના ડો. મેહુલ મિત્રા, ડો. રાકેશ પટેલ અને ડો. જયેશ સોનવાણી કોરોના કાળમાં બાળકોને સંક્રમિત થતા કેમ બચાવી શકાય. સંક્રમિત થાય તો શું ઘ્યાન રાખવું વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના ફેસબુક પેઇઝ પરથી આજે રાત્રે 9.30 કલાકે લાઇવ લોકદરબારમાં લોકલ પણ જોડાય શકે છે. કોમેન્ટ દ્વારા તેમના સવાલો મોકલી આપે જેનો નિષ્ણાંત તબીબો દ્વારા યોગ્ય પ્રત્યુતર આપવામાં આવશે. બાળકો માટેના આ લોક દરબારના ક્ધવીનર તરીકે ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. જય ધીરવાણી અને ઇન્ડીયન એકેડેમી ઓફ પિડિયાટ્રીકના ઇન્ફેકશન ડિસીઝ ચેપ્ટરના ચેરપર્સન ડો. યજ્ઞેશ પોપટ સેવા આપે છે.

કોરોનાના સંભવિત ત્રીજા વેવમાં બાળકો પર સંક્રમણનું જોખમ વધુ છે એવું લાગે છે ત્યારે ગર્ભવસ્થા અને કોરોના એ વિષય પર ખાસ લોકદરબારનું આવતી કાલ તા. 25-5-21 ને શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. મહિલાએ ગર્ભાવસ્થા વખતે જ અમુક બાબતોનું ઘ્યાન રાખવા ઉપરાંત ડિલીવરી બાદ નવજાત બાળકની અને પોતાની શું કાળજી રાખવી વગેરે બાબતો પર દેશના જાણીતા તબીબો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ગર્ભાવસ્થા અને કોરોના વિષય પરના લોક દરબારમાં ગાયનેકોલોજીસ્ટના રાષ્ટ્રીય એસો. ફોગ્સીના પ્રેસીડન્ટ ડો. અલ્પેશ ગાંધીના આગેવાનીમાં પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના પ્રોફેસર ડો. કમલ ગોસ્વામી, સુરતના પ્રોફેસર ડો. અશ્ર્વિન વાછાણી, ડો. નિરવ ગરાળા રાજકોટ સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા, ડો. કીર્તીભાઇ પટેલ, ડો. પ્રવીણ કાનાણી અને ડો. જીજ્ઞા ગણાત્રા દ્વારા ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે. લોક દરબારના મોડરેટર તરીકે આર.ઓ.જી. એસ. ના પ્રેસીડન્ટ ડો. મનીષા મોટેરીયા, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા, ડો. વિપુલ અધેરા અને ડો. મમતા લીંબાીયા સેવા આપે છે.

આ બન્ને લોક દરબારના સંયોજક ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહે જણાવ્યું છે કે ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના ફેસબુક પેઇઝ આઇએમએ રાજકોટ પરથી આજે અને કાલે યોજાનાર લોક દરબારમાં દેશના જાણીતા તબીબો દ્વારા બાળકો અને ગર્ભવતી મિ!લાઓમાં કોરોના જોવા મળે તો તેમને કયા પ્રકારની મેડિસન કેટલી માત્રામાં આપવી, માતા પોઝીટીવ હોય અને બાળક નેગેટીવ હોય અથવા માતા નેગેટીવ હોય અને બાળક પોઝીટીવ આવે તો એવા સમયે સ્તનપાન સહિત કઇ બાબતો ખાસ ઘ્યાનમાં રાખવી સહિત કઇ બાબતો ખાસ ઘ્યાનમાં રાખવી સહિત અનેક જરુરી મુદાઓ પર દેશનાં જે તે ફિલ્ડના નિષ્ણાંત તબીબો ેદ્વારા  માર્ગદર્શન આપવામાં આવશે.

ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયા, પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત આઇ.એમ.એ. ના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉ5ાઘ્યાય, આઇ.પી.પી. ડો. જય ધીરવાણી,  પ્રેસીડેનટ ઇલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. પારસ સી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ગુજરાત આઇ.એમ.એ. ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત હપાણી, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. ભાવિન કોઠારી, આઇ.એમ.એ. રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કીર્તીભાઇ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમુખ ડો.દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડો. નીતીન લાલ, ડો. વિપુલ અધેરા, ડો. કમલેશ કાલરીયા સહીત તબીબોની ટીમ લોક દરબાર માટે સતત કાર્યરત છે. આઇ.એમ.એ. ના મિડીયા કો. ઓડીનેરટ તરીકે વૈભવ ગ્રુપના વિજયમહેતા સેવા આપે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.