Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ અને વિધાન સભાના વિપક્ષી નેતા અમિત ચાવડા જોડાશે

ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે વોક ફોર ઇન્ડિયા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલના નેતૃત્વમાં કાલે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં સરદાર બાગ રૂપાણી સિનેમાથી રાજીવ ગાંધી ભવન (કોંગ્રેસ કાર્યાલય)સુધી બપોરે 4 કલાકથી વોક ફોર ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઇ ચાવડા તથા ઉપનેતા શૈલેશભાઇ પરમાર પણ જોડાશે. રાજયભરમાં

કોંગ્રેસના કાર્યકરો આ પદયાત્રામાં સામેલ થશે.ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ રાજયભરમાં મહાનગરો અને જિલ્લા કક્ષાએ પુષ્પાંજલી અર્પણ કરવા સહીતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

જેમણે 40 વર્ષની વયે દેશનું નેતૃત્વ કર્યું  હોય. દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો. રાજીવ ગાંધી એવા રાજનીતિક પરિવાર સાથે સંબંધિત હતા, જેમની ચાર પેઢીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સેવા કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.