Abtak Media Google News

ધ્વજા રોહણ મહોત્સવ ઉજવાશે: મહાપ્રસાદીનો લાભ લેવા ભાવિકજનોને આમંત્રણ

બેટ દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીના મંદિર પર નૂતન ધ્વજારોહણ એ દરેક સનાતનધર્મી ની મહેચ્છા રહેતી હોય મસ્કત ઓમાનના અશ્ર્વિન ધરમશી નેણસી તેમજ તેમના ધર્મપત્ની દિવ્યાબેન દ્વારા આગામી તા.૨૯ નવેમ્બર ૨૦૧૮ને ગુરૂવાર કારતક વદ સાતમના રોજ બેટ દ્વારકાધીશ જગત મંદિર પર નૂતન ધ્વજારોહણ તેમજ છપ્પનભોગ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વિદ્યાનંદજી મહારાજ (બાપજી) સ્તંભેશ્ર્વર મહાદેવ (કંદોઈ) કાવી જાંબેસર ગુજરાત અને બાબા અનંતદાસજી (ફલાઈંગ બાબા) પણ દિવ્ય મનોરથ સમયે ઉપસ્થિત રહેનાર છે. તા.૨૯મીએ સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી બેટ દ્વારકાધીશ મંદિર ધ્વજારોહણ મહોત્સવ ઉજવાશે. બપોરે ૧૨:૩૦ કલાકે જગત મંદિરમાં છપ્પનભોગ મનોરથ યોજવામાં આવશે જેનો લાભ ઉપસ્થિત ભાવિકોને થશે. બાદમાં બપોરે ૧ કલાકે જગત મંદિર પાસેના ગુજરાતી સ્કૂલના ગ્રાઉન્ડમાં મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.