Abtak Media Google News

જામનગરમાં મેઘરાજા એ માત્ર ૨૪ કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે.રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં આવે છે ત્યારે જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ અને કોંગ્રેસ દ્વારા નગરના રણજીતસાગર ડેમ અને રણમાલતળાવ પર નવા નીર ના વધામણાં કર્યા હતાં.

Matter 11 7

કોંગ્રેસ અને મહાનગરપાલિકા ના વિરોધપક્ષ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને હાલ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા અલતાફ ખફી સહિત કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા અને શાોક્ત વિધિ થી નિરના વધામણાં કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.