Abtak Media Google News

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આગામી 30ના પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ ખાતે  સવારે 9:00 થી 1:00 દરમિયાન ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતી સમસ્યાઓનું નિદાન અને સારવારનું નિશુલ્ક ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દંત વૈદ્ય ભરતભાઈ વ્યાસ , પૌરાણીક જલંધરબંધ યોગ પદ્ધતિ દ્વારા દંતને લગતી સમસ્યાઓનું નિદાન અને સારવાર કરશે .

Advertisement

અનીયારા વાળા પુરુષોત્તમભાઈ અકબરી સાંધાને લગતી તમામ સમસ્યાઓનું નિદાન અને સારવાર આપશે . પ્રાણિક હિલીંગ થેરાપી દ્વારા મહેન્દ્રભાઈ મે સારવાર આપશે. સાથોસાથ લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના 100માં એપીસોડને સમર્પિત  લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું  આયોજન કરાયું છે. આ નિ:શુલ્ક કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળ સાથે ટ્રસ્ટના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.