Abtak Media Google News

સમસ્ત વસોયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે

‘અબતક’ની મુલાકાતમાં સમસ્ત વસોયા પરિવાર સ્નેહમિલન સમારોહની તૈયારીઓ-કાર્યક્રમની આયોજકોએ આપી વિગતો

સામાજિક સમરસતા એકતા અને વિકાસ માટે પરસ્પરના સહકાર માટે પારિવારિક માહોલ નું આગવું મહત્વ છે ત્યારે સમસ્ત વસોયા પરિવાર દ્વારા તારીખ 29 4 શનિવારે સીંધાવદર સુરાપુરા બાપાના મંદિરે  છઠ્ઠા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ,અબ તકની મુલાકાતે આવેલા આયોજકો મનીષભાઈ વસોયા, જયદીપભાઇ વસોયા, રમેશભાઈ વસોયા( પ્રમુખ,) શૈલેષભાઈ ભીમજીભાઇ વસોયા, રમેશભાઈ હરજીભાઈ વસોયા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સમસ્ત વસોયા પરિવાર દ્વારા છઠ્ઠા સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 10,000 થી વધુ વસોયા પરિવારજનો ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક એકતા સંગઠનની સાથે સાથે માનવસેવા ના કાર્યો સાથે મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે

Advertisement

શનિવારે મોરબીના વાંકાનેર તાલુકાના સીધાવદર ગામે સુરાપુરા  બાપા ના મંદિરે યોજનારા આ કાર્યક્રમ નો પ્રારંભ 29 શનિવાર સવારે 7:00 વાગે ગણપતિ પૂજન અને  દેવના આહવાન થી થશે 8:30 વાગે સુરાપુરા બાપાને મહાભિષેક સવારે 9:00 વાગે પ્રધાન હોમ ,બપોરે 12:30 વાગે યજ્ઞ ની પુર્ણાહુતિ કરવામાં આવશે. બપોર પછી ચાર થી સાત ના સેશનમાં સ્ટેજ પ્રોગ્રામ બાદ સાંજે 7:00 વાગે મહા આરતી બાદ 10,000 પરિવારો એક સાથે મહાપ્રસાદ નો લાભ લેશે .ત્યારબાદ રાત્રે 9:00 વાગે લોક ડાયરામાં સાહિત્યકાર હિતેશભાઈ અંતાળા ભજનીક અલ્પાબેન પટેલ .ભજનીક વિપુલભાઈ દાનીધારીયા અને ઉમેશભાઈ પરમાર ના સાજિંદા ગ્રુપ દ્વારા લોક ડાયરા ની રંગત જામશે 29 મી એ શનિવારે બપોરે જમણવાર અને સાંજે મહાપ્રસાદ તેમજ 30 મી એપ્રિલ રવિવારે સવારે સમૂહમાં નાસ્તા સહિતના કાર્યક્રમ ના સમસ્ત મહોત્સવ માં અધ્યક્ષ પદે ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ .મંત્રી જીતુભાઈ વસોયા ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય શાસ્ત્રી સ્વામી રાધા રમણદાસજી સ્વામી. કૃષ્ણપ્રકાશ દાસજી અને શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રસદ શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં પ્રમુખ રમેશભાઈ પોપટભાઈ વસોયા. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, નવીનભાઈ વસોયા, પ્રદીપભાઈ વસોયા, કૃષિ વિભાગ ગાંધીનગર ના બીવી વસોયા ,લોધીકા મામલતદાર જગદીશભાઈ વસોયા અને ઉદ્યોગપતિ રમેશભાઈ વસોયા સાથે સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઈ સવજીભાઈ વસોયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, એડવોકેટ જીવરાજભાઈ વસોયા, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી ,ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે સ્નેહ મિલન ના આ કાર્યક્રમમાં ધર્મભક્તિની સાથે સાથે માનવસેવા ના કાર્યોને પણ આવ રીલેવામાં આવ્યા છે

આ કાર્યક્રમમાં પરિવારના માર્ગદર્શક જીતુભાઈ સવજીભાઈ વસોયા મનસુખભાઈ મોહનભાઈ વસોયા મનસુખભાઈ વસોયા ,મનીષભાઈ મૂળજીભાઈ વસોયા, જયદીપભાઇ ભીખાભાઈ વસોયા કારીબારી સભ્યો માં રમેશભાઈ પોપટભાઈ વસોયા, પરાગભાઈ લવજીભાઈ, રમેશભાઈ નરસિંહભાઈ વસોયા, શૈલેષભાઈ રમેશભાઈ; હરજીભાઈ વસોયા ભાવેશભાઈ હરજીભાઈ વસોયા મુકેશભાઈ જે વસોયા, નાનજીભાઈ મનજીભાઈ વસોયા, ભુપતભાઈ લાલજીભાઈ વસોયા પ્રવીણભાઈ વાલજીભાઈ વસોયા કાંતિભાઈ કાનજીભાઈ વસોયા, જયેશભાઈ જમનભાઈ વસોયા જય મત ઉઠાવી રહ્યા છે કાર્યક્રમની સફળતા માટે સમગ્ર ટીમ જેમ જ ઉઠાવી રહી છે સમગ્ર વસોયા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સુરાપુરા દાદા ના મંદિર કુવાડવા વાંકાનેર રોડ સિંધાવદર ખાતે ઉમટી પડવા પડવા અને વધુ વિગત માટે મોબાઈલ નંબર 97 262 31 508 અને 94 272 70110 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.