Abtak Media Google News

અબતક, રાજકોટ

ઓશો સન્યાસ ઉત્સવ ભવન કિર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવે વિશ્ર્વ દિવસ વગેરે રાજકોટના છેલ્લા 37 વર્ષ થી ર4 કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્ર્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિર પર તથા દ્વારા અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

તા.પ ને બુધવારના રોજ વિજળા દશમ નિમિતે હરસાલની માફક ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિરે સાંજના 6.30 થી 8 દરમ્યાન ઓશો હાર્ટ ડાન્સ પ્રથા સંઘ્યા સત્સંગ ઘ્યાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત વિજયા દશમીના ઘ્યાનોત્સવ ના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિરની ટીમ દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે 4 વૈદવાડી ડી માર્ટની પાછળ રાજકોટ ખાતે યોજાશે. વિશેષ માહીતી માટે સ્વામી સત્ય પ્રકાશ મો. નં. 94272 54276 અને સંજીવ રાઠોડ મો. નં. 98248 86070 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.