પાલીતાણા નજીક આવેલ સેવડીવદર ગામના આર્મીમેન અર્જુનસિંહ ગોહિલ આજે આર્મીની નોકરી પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મીમેન ૨૦૦૩ થી ૨૦૨૦ ઓગસ્ટ સુધી સર્વિસ કરી જેમાં જમ્મુ કાશ્મીરમાં કુપવાડા સેકટર કારગિલ અને પુરુષ રાજોરી જેવા આતંકવાદી જગ્યાઓમાં સર્વિસ કરી તે ઉપરાંત દે સિક્કિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ સર્વે કરી ચુક્યા છે ત્યારે નિવૃત થતા આજે પોતાના વતન સેવડીવદર આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં જવાનના હસ્તે લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦૦૦ રૂપિયાનો ચેક જવાન દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો સાથોસાથ ગ્રામજનોને જવાન દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝર પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને જવાન દ્વારા ગ્રામજનોને કોરોના મહામારીમાં સતર્ક રહેવા જણાવ્યું જતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ