Abtak Media Google News

વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાનશ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે 29/04/2022ના રોજ વાંકાનેર બ્રહ્મ અગ્રણી ભરતભાઇ ઓઝા, મોરબી જિલ્લા કારોબારી સભ્ય બ્રહ્મ સમાજ, બાબુભાઇ વરનાવા, મોહનભાઇ ગામોટ, મોરબી જિલ્લા યુવા બ્રહ્મ સમાજ પ્રમુખ અમીતભાઇ ભટ્ટ, વાંકાનેર શ્રી યુવા બ્રહ્મ સમાજ પ્રમુખ દુષ્યંતભાઇ ઠાકર દ્વારા આરતી કરવામાં આવેલ તેમજ દરરોજ રાત્રિના અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં ગઇ તા.29/04/2022ના રોજ મહાઆરતી તથા આરતી ડેકોરેશનનું આયોજન કરવામાં આવેલ હતું. આજરોજ તા.30/04/2022ના રોજ ડાંડીયા રાસ (ગરબા)નું આયોજન કરવામાં આવેલ છે તેમજ આગામી તા.02/04/2022 સુધી દરરોજ અલગ-અલગ પ્રવૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમોમાં જે કોઇપણ વ્યક્તિએ ભાગ લેવો હોય તેઓએ મો.નં.9586970222 (પ્રતિકભાઇ બલભદ્ર) તથા એડવોકેટ કશ્યપભાઇ ઠાકર મો.નં.93280 54087નો સંપર્ક કરવો.

ઉપરોક્ત કાર્યક્રમોને સફળ બનાવવા માટે ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો કશ્યપભાઇ ભટ્ટ (ક્ધવીનર), હિરેનભાઇ જોશી (સહ ક્ધવીનર), ભરતભાઇ ઓઝા , મોનીશભાઇ જોશી, કશ્યપભાઇ ઠાકર (એડવોકેેટ), શન્ની જાની, મિલનભાઇ જોશી, મોહિતભાઇ, કિરણબેન જોશી, હિરલબેન બલભદ્ર, રીટાબેન ત્રિવેદી, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસએ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.