Abtak Media Google News

ગોવિંદપરા ગામના ખેડૂતનું મંજૂર યેલું વીજ કનેકશન ખોટી સહી કરી અન્યને આપી દેવાયું: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ખેતીવાડીના વીજ કનેકશન માટે ખેડૂતોને વર્ષો બાદ વારો આવે છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના ખેડૂતનુ મંજુર થયેલ વિજ કનેકશન ખોટી સહી સાથે અન્યને ફાળવી દેવામાં આવ્યું છે. જો કે, આ કનેકશનનું બીલ ગોવિંદપરા ગામના જ મુળ અરજદારના નામે આવતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો હતો. ગીર સોમના જિલ્લાના ગોવિંદપરા ગામે રહેતા શબ્બીરહુસેન સુમરાએ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં નોંઘાવેલ ફરીયાદ મુજબ તેમના પીતા યુસુફ નથુભાઇ સુમરાએ વર્ષ ૨૦૦૩માં માંગેલ ખેતીવાડીનું વીજ કનેકશન જે ૨૦૧૨માં મંજુર થયું હતું.

જો કે આ કનેકશન તેમના ખેતરમાં આપવાના બદલે પ્રભાસ પાટણ વીજ કચેરીના તત્કાલીન ડે.ઇજનેર જે.સી.રૈયાણી અને જુનીયર ઇજનેર ડી.ડી.ડોડીયા સહીતના સ્ટાફે કોભાંડ આચરી ઇકબાલ હુસેન રાઠોડ નામના ખેડૂતને આપી દીધું હતું. જયારે, મુળ અરજદાર યુસુફભાઇ વિજ કનેકશનની રાહ જોઇ રહ્યા હતા. જો કે, વર્ષ ૨૦૧૭માં આ વિજ કનેકશનનું વિજબીલ જયારે તેમને મળ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને તપાસ કરતાં તેમના નામે મંજુર થયેલ વિજ કનેકશન અન્ય ને આપી દેવામાં આવ્યું હતું. આ બાબતે અનેક અરજી અહેવાલ બાદ કોઇ જવાબ નહીં મળતા અંતે યુસુફભાઇના પુત્ર દ્વારા માહીતી અધિકાર હેઠળ મહિતી માંગવામાં આવી હતી. જેમાં પણ સ્થાનીક અને સર્કલ કચેરી દ્વારા માહિતી ન આપી કોભાંડને દબાદવા પ્રયાસ કરવામાં અઆવ્યો હતો.

જોકે, આખરે માહિતી આયોગમાં ફરીયાદ કરતાં અરજદારને માહીતી આપવામાં આપવામાં આવી હતી કે આ વિજ કનેકશનમાં મુળ અરજદાર યુસુફભાઇ સુમરાની ખોટી સહી સાથેનું બાંહેઘરી પત્ર સહીતના બોગસ દસ્તાવેજો મળી આવેલ અને પીજીવીસીએલના અઘિકારીઓએ ષડયંત્ર રચી આ કનેકશન અન્યને આપી દીધાનું સામે આવતાં અંતે અરજદારના પુત્ર શબ્બીર હુસેન દ્વારા પ્રભાસ પાટણમાં ફરીયાદ નોધાવી છે. પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોભાંડ આચરવામાં આવેલ હોવાની લેખીત ફરીયાદ શબ્બીર હુસેન દ્વારા એક વર્ષ અગાઉ પ્રભાસ પાટણ પોલીસમાં આપેલ હોવા છતાં કયાંકને કયાંક આરોપીઓને છાવરવાના પ્રયાસના ભાગરુપે યેનકેન પ્રકારે ગુન્હો નોંધવામાં આવતો નહી. જેથી ફરીયાદી શબ્બીર હુસેનને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન ફરીયાદમાં ફરીયાદ કરવાની ફરજ પડી છે.

જેમાં જીલ્લા કલેકટર દ્વારા ગુન્હો નોંધવાના આદેશ કરવામાં આવ્યા છે. આમ, આખરે એકવર્ષ બાદ પોલીસે આ પ્રકરણમાં પ્રભાસપાટણ સબ ડીવીજનના તત્કાલીન ડે.ઇજનેર જે.સી.રૈયાણી, જુનીયર ઇજનેર ડી.ડી.ડોડીયા, બોગસ વિજ કનેકશન મેળવનાર ખેડૂત ઇકબાલ સુલતાન રાઠોડ સહીત દસ આરોપીઓ વિરુદ્ધ છેતરપીંડી અને ષડયંત્ર સહીતની કલમ અન્યવે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.