Abtak Media Google News

નાણામંત્રી નિર્મલા સિતારમને સબકા સાથ સબકા વિકાસને પ્રાધાન્ય આપતું બજેટ રજૂ કર્યું : રેલવે માટે મોટી જાહેરાતો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે તમામ વર્ગના લોકોને ફીલ ગુડ કરાવતું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમને રજૂ કરેલ આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજુ બજેટ છે. ર્અતંત્રની સુસ્તી દૂર કરવા માટે બજેટમાં નાણામંત્રી સીતારમને ભેટ સોગાદોની વણજાર કરી હતી. નાના વ્યક્તિી બિઝનેશ ટાઈકુન સુધી તમામને ખુશ ખુશાલ કરતું આ બજેટ જોવા મળ્યું હતું.

આજે નાણામંત્રી નિર્મલા સીતારમન રાષ્ટ્રપતિ ભવનમાં રામના કોવિંદને મળ્યા બાદ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં બજેટને ઔપચારીક મંજૂરી આપવામાં આવી હતી. નાણામંત્રાલયી રાષ્ટ્રપતિ ભવનમાંથી નાણા મંત્રી નિર્મલા સીતારમન અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ હતા. અનુરાગ ઠાકુરે બજેટ રજૂ કરતા પહેલા ઘરે પૂજા કરી હતી. આ બજેટ સબકા સા સબકા વિકાસ અને સબકા વિશ્ર્વાસને અનુલક્ષી જોવા મળ્યું હતું. બજેટમાં રેલવેને લઈ મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી.

7537D2F3

અહીં નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયી ર્અતંત્રમાં જોવા મળેલી સુસ્તી બાદ કેન્દ્રીય બજેટની રાહ જોવાતી હતી. ભારતીય ર્અતંત્રને નરમાઈમાંથી ઉગારવા માટે કેન્દ્રીય બજેટ અકસીર ઈલાજ રહેશે તેવું ર્આકિ નિષ્ણાંતોનું માનવું હતું. નાગરિકો અને ઉદ્યોગ જગતને વિવિધ પ્રકારની રાહતો અપાશે તેવું માનવામાં આવતું હતું. સરકારની કુલ આવક કરતા ખર્ચ વધી ન જાય તે માટે આ બજેટમાં ખાસ ધ્યાન રખાયું હતું. અગાઉ પણ સરકારની રાજકોષીય ખાદ્ય અંગે ચિંતા વ્યકત કરાયા બાદ ચાલુ બજેટમાં ખાદ્યના લક્ષ્યાંકને હાંસલ કરવાની તૈયારી ઈ છે.

આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાદ્ય ઘટાડવાના પ્રયત્નોને આ બજેટી વધુ બળ મળશે. લોકોની ખરીદ શક્તિ વધારવા માટે આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવાના અગાઉ મળેલા સંકેતો બાદ આ બજેટમાં સરકારે કરવેરા મુદ્દે નોંધનીય ફેરફાર કર્યા છેે. નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલુ બજેટ ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવાની સાો સા મુડી રોકાણને આકર્ષવા માટે મહત્વનું બની ગયું છે. છેલ્લા ચાર મહિનાી બજેટ માટે લોકોમાં જોવા મળેલી તાલાવેલીનો અંત આવ્યો છે. એફબીઆઈ ઈન્ફલો વધે અને રીયલ એસ્ટેટ, ઓટો મોબાઈલ ફાર્મા સહિતનો વિકાસ ાય તે માટે બજેટમાં મહત્વની જોગવાઈ નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવી છે. એકંદરે કેન્દ્રીય બજેટ લોકોની અપેક્ષામાં ખરુ ઉતરશે તેવું કહી શકાય.

  • શનિવાર છતાં બજેટના કારણે શેરબજાર ચાલુ

સામાન્ય રીતે શનિવારના દિવસે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ બંધ રહેતા હોય છે પરંતુ આજે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું હોય. શનિવારના દિવસે પણ શેરબજાર ચાલુ રહ્યું હતું. પ્રિ ઓપનીંગમાં સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. પરંતુ બજેટ લોકાનુભાવન રહેશે તેવું લાગતા સેન્સેકસ અને નિફટીમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો. હાલ બન્ને ઈન્ડેક્ષ ઉછાળા સો કામકાજ કરી રહ્યાં છે.

શેરબજારમાં ફાઈવ-ડે વિક હોય છે. શનિવાર અને રવિવારના દિવસે શેરબજાર બંધ રહેતું હોય છે. પરંતુ આજે કેન્દ્રીય બજેટ જાહેર વાનું હોવાના કારણે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ બીએસઈ અને એનએસઈ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. શરૂઆતી કારોબારમાં મોટાભાગના કંપનીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં સતત ઉતાર ચઢાવ જોવા મળતા હતા. બજેટ પૂર્વે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા. તો બજાર ખુલ્યા બાદ બન્ને ઈન્ડેક્ષોમાં ઉછાળો જોવા મળ્યો હતો. એચયુએમ, ગેઈલ, જેડબલ્યુએસ, બીપીસીએલ સહિતની કંપનીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ક્રુડ બેરલ તૂટયું હતું તો અન્ય સેકટરલ ઈન્ડેક્ષ પણ ગ્રીન ઝોનમાં દેખાયા હતા. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૬૫ પોઈન્ટના ઉછાળા સો ૪૦૭૮૯ અને નિફટી ૧૩ પોઈન્ટના ઉછાળા સો ૧૧૯૭૫ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.

  • બજેટી વિકાસદર ૬.૫ ટકાી વધારવા પ્રયાસ

આગામી નાણાકીય વર્ષમાં વિકાસદર ૬ થી ૬.૫ ટકા સુધી વધારવામાં સફળતા મળશે તેવી ભાષા ચિફ ઈકોનોમીક એડવાઈઝર કે.વી.સુબ્રમણ્યમ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. બજેટમાં ગત નાણાકીય વર્ષના સ્લોડાઉનને ધ્યાનમાં રાખી ખાસ નવા પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેટીસ્ટીલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં ભારતીય ર્અતંત્રના વિકાસને લઈ એસ્ટીમેટ રજૂ કરાયા હતા. જેમાં માર્ચ ૨૦૨૦ સુધીમાં વિકાસદર ૫ ટકા સુધીના તળીયે રહેશે તેવું માનવામાં આવ્યું હતું. દરમિયાન આજે બજેટમાં યેલી જાહેરાતોના અનુસંધાને આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર ૬.૫ ટકા સુધી વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉત્પાદકતા, વેપાર અને માંગ વચ્ચે સંતુલન રાખવા માટે સરકારે વિવિધ મુદ્દા બજેટમાં સાંકળી લીધા છે.

  • ૧.૫ લાખ આયુષ્યમાન ભારત સેન્ટર ખુલશે

વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ૧.૫ લાખ આયુષ્યમાન ભારત હેલ્ એન્ડ વેલનેશ સેન્ટર ખોલવાની દરખાસ્ત થઈ છે. ગઈકાલે આ દરખાસ્ત સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા મુકાઈ હતી. અત્યાર સુધીમાં ૨૮૦૦૦ જેટલા આયુષ્યમાન ભારત હેલ્ એન્ડ વેલનેશ સેન્ટર ખુલી ચુકયા છે. સરકારના ઈન્દ્રધનુષ અભિયાન હેઠળ ૩.૩૯ કરોડ બાળકો અને ૮૭ લાખ ગર્ભવતી મહિલાઓને રૂબેલા, ન્યુમોકોકલ વેકસીન તેમજ રોટા વાયરસ વેકસીન અપાઈ હતી. ૬૮૦ જિલ્લાઓમાં આ લાભ મળ્યો છે. બજેટમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના તા પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. તબીબોની સંખ્યામાં ઘટ મુદ્દે પણ સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે.

  • એસેમ્બલ ઈન ઈન્ડિયા તરફ ધ્યાન કેન્દ્રીત

મોદી સરકારે અત્યાર સુધી મેક ઈન ઈન્ડિયા ઉપર ધ્યાન આપ્યું હતુપરંતુ હવે એસેમ્બલ ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરાયો છે. ભારતમાં ઉત્પાદન વધે તેની સાથોસાથ સ્પેરપાર્ટસનું એસેમ્બલ પણ થાય તે જરૂરી છે. ચીનમાં વર્તમાન સમયે લેબર કોસ્ટ વધી છે. જેથી ભારતને એસેમ્બલ ક્ષેત્રે વિકાસની તક સાંપડી છે. ભારતીય એસેમ્બલને પ્રોત્સાહન આપવાથી રોજગારીની તકો વધશે તેવું માનવામાં આવે છે. એપલ, સેમસંગ, સોની જેવી મોટી કંપનીઓ એસેમ્બલ માટે ભારત તરફ નજર દોડાવશે બજેટમાં સરકાર દ્વારા એસેમ્બલ ઈન ઈન્ડિયા તરફ ધ્યાન દેવાયું છે.

  • ઈન્ફ્રા, ઈન્વેસ્ટ અને ઈન્કમનું ‘ઈતિી અંત’ આવરી લેવાયું

ઈન્ફાસ્ટ્રકચર, ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્કમટેકસ માટે સરકારે બજેટમાં ખાસ ધ્યાન રાખ્યું છે. દેશમાં ઈન્ફાસ્ટ્રકચરના વિકાસની મહત્વતા કેન્દ્ર સરકાર ખુબજ સારી રીતે સમજે છે. પરિણામે ફિલ ગુડ બજેટમાં ઈ-વ્હીકલ, ઉર્જા, એફોર્ડેબલ હાઉસીંગ સહિતના ઈન્ફાસ્ટ્રકચરના મુદ્દે પણ ખાસ જાહેરાતો કરવામાં આવી છે.લોકો ઈ-વ્હીકલ તરફ વળે તે માટે પ્રોત્સાહનોનો વરસાદ કેન્દ્ર સરકારના બજેટમાં જોવા મળ્યા છે. આ સો એફોર્ડેબલ હાઉસીંગ અને રીયલ એસ્ટેટને બુસ્ટર ડોઝ આપવા માટેના બજેટના પ્રોત્સાહનો પણ ભવિષ્યમાં કારગત નિવડશે તેવી આશા છે.

ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા પણ બજેટમાં સરકારે કમરકસી હોવાનું ફલીત યું છે. દેશમાં જેમ જેમ મુડી રોકાણ વધશે તેમ તેમ રોજગારીનું સર્જન શે. તેની સો આયાત-નિકાસ વચ્ચેની  ખાદ્યને સંતુલીત કરવા સફળતા મળશે તેવું માનવામાં આવે છે. માટે સરકારે ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો ખુલ્લા હો આપ્યા છે. આ સો જ કરવેરાને પણ પ્રાધાન્ય અપાયું છે. કરવેરાી તી આવકમાં ગાબડુ ન પડે તે રીતની રાહતોની વણઝાર સરકારે કરી છે. અગાઉ કોર્પોરેટ ટેકસ ઘટાડવા બાદ આગામી સમયમાં વધુ ઘટાડો શે તેવી આશા વચ્ચે સરકારે આપેલા પ્રોત્સાહનો આગામી સમયમાં વધુ કારગત નિવડશે તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.