Abtak Media Google News

આગામી ૨૫મીએ ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાહુબલીઓ વચ્ચે ટકકર

જામનગરમાં હિન્દુ-મુસ્લિમ પ્રીમિયર લીગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૫ મે એ આ લીગનો પ્રારંભ થશે. આ ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ, જામરણજીત કપ-૨૦૧૯માં ગુજરાતની બાહુબલી ટીમો વચ્ચે ટકકર થશે. આ ટૂર્નામેન્ટ હાપા માર્કેટીંગ યાર્ડની સામે જુગ્નુ મેદાન ખાતે યોજાશે. ટૂર્નામેન્ટનું આયોજન સદામભાઈ શેખ, ભારત ઓટો ગેરેજવાળા દરજાદા અસ્લમભાઈ મામુ તથા હુશેનભાઈ હશનભાઈ કુરેશી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

આ ટૂર્નામેન્ટના મેચ ૧૦ ઓવરના રહેશે અને ટૂર્નામેન્ટ આઈસીસીના નિયમ મુજબ રમાડવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ફાઈનલ વિજેતા ટીમને રોકડ પુરસ્કાર તરીકે રૂ.૨૧ હજાર તથા ટ્રોફી અપાશે. જયારે રનર્સઅપને રૂ.૧૧ હજાર તથા ટ્રોફી આપવામાં આવશે. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને પણ ઈનામથી નવાઝવામાં આવશે. ટૂર્નામેન્ટના ફાઈનલ મેચ બાદ રકતદાન કેમ્પ પણ યોજાશે. ટૂર્નામેન્ટમાં ટીમ માટે જમવાનું વિનામુલ્યે રાખવામાં આવશે. વધુ વિગતો માટે ૯૦૩૩૨ ૯૨૭૮૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.