Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ આજ ૨જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે થ્રી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ, જેના અનુસંધાને વોર્ડ નં-૧૩ અને ૧૫માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Advertisement

જેમાં વોર્ડ નં-૧૩માં ગીતાનગર મેઈન રોડ, નવી આવાસ યોજનાની બાજુમાં ગીતાનગર જતો સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ વાળા રસ્તા પર વૃક્ષારોપણ યોજાયું, જેમાં, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, હાઉસિંગ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, પ્રમુખ હસુભાઈ ચોવટીયા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા, પ્રભારી રાજુભાઈ બોરીચા, ડી.એમ.સી ચેતન નંદાણી, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, હરિભાઈ ડાંગર, વજુભાઈ લુણાગરીયા, વિજયભાઈ ટોળીયા, રમેશભાઈ બાલાસરા, ફિરોઝભાઈ ડેલા ઉપસ્તિ રહ્યાં હતા. વોર્ડ નં-૧૫માં ચુનારવાડ ચોકી ભાવનગર રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ ભીખુભાઈ ડાભી ઉપસ્તિ રહ્યાં હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.