Abtak Media Google News

ભાલોડિયા મહિલા કોલેજમાં એનસીસીના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ એન.એસ.એસ. ઓફિસર ડો.લલિતાબેન ભુતના માર્ગદર્શન મુજબ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.કાલાવડિયા, આદર્શ એજયુકેશન ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઈ દલસાણિયાએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વૃક્ષારોપણ કર્યું. આ તકે ઉપલેટામાં વૃક્ષપ્રેમી પરસોતમભાઈ સોજીત્રા તથા ભીખાભાઈ લક્ષ્મી ટ્રેડીંગવાળાએ હાજર રહી પ્રોત્સાહન આપેલ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા કોલેજનાં જી.એસ.વિરમગામા તથા તેની ટીમે ખુબ જહેમત ઉઠાવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.