Abtak Media Google News

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા માટે આદેશ આપ્યો છે. DGP ઝાએ પોલીસ સ્ટેશન્સ અને બ્રાન્ચમાં 5 વર્ષથી ફરજ નિભાવતા હોય તેવા પોલીસકર્મીઓને તાકીદે બદલવા માટે હુકમ કર્યો છે. ગુજરાતના પોલીસ વડાએ કર્મીઓ,જિલ્લાપોલીસ વડા તથા રેન્જ વડાઓને આદેશ કર્યો છે. તેમણે 10મી જૂન સુધીમાં બદલી કરી અહેવાલ મોકલવા તાકીદ કરી છે.

જે કર્મચારીના સંતાન ધોરણ 10,12 કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા કર્મીઓને આ નિર્ણયમાંથી 1 વર્ષ માટે મુક્તિ આપવામાં આવશે. તેમજ નવી ભરતીમાં જે મહિલા લોક રક્ષકોને 5 વર્ષ થઈ ગયા હોય તેવી મહિલા કર્મચારીઓની પણ બદલી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.