Abtak Media Google News

કાલે રાજયપાલને ફાઈનલ ત્રણના નામ મોકલાશે: ડો.ભરત રામાનુજ અને ડો.કમલ ડોડીયાનું નામ પણ મોખરે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.પ્રતાપસિંહ ચૌહાણની આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ મુદત પુરી થવા જઈ રહી છે ત્યારે નવા ૧૭માં વાઈસ ચાન્સેલર તરીકેની પસંદગીની કવાયત છેલ્લા ત્રણ મહિનાથી હાથ ધરવામાં આવી રહી છે. હવે સર્ચ કમિટીની પ્રથમ મીટીંગમાં આવેલી અરજીઓમાંથી ૧૦ ઉમેદવારોની પસંદગી કરાયા બાદ હવે ફાઈનલ ૩ ઉમેદવારોની પસંદગી થઈ રાજયપાલ સમક્ષ મુકવામાં આવશે અને હાલમાં તો પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના રીપીટ થવાના સંકેતો મળી રહ્યા છે. સાથો સાથ ડો.ભરત રામાનુજ અને ડો.કમલ ડોડીયા પણ કુલપતિ બનવા માટે રેસમાં છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૬માં વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણની આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ મુદત પુરી થઈ જતા નવા કુલપતિ તરીકે હવે કોની પસંદગી થશે તે માટેની અટકળો ચાલુ થઈ છે. જોકે આવતીકાલે રાજયપાલ સમક્ષ સર્ચ કમિટી દ્વારા ફાઈનલ ૩ નામો મુકવામાં આવશે અને ૨૪મી ફેબ્રુઆરીના રોજ કોણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે નિમાશે તે નામની જાહેરાત કરવામાં આવશે.

હાલમાં તો કુલપતિ પદે પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ફરીથી નિમાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જોકે એવુ ના બને તો ડો.ભરત રામાનુજ પણ પ્રબર દાવેદાર હાલમાં દેખાઈ રહ્યા છે અને આ બે નામ પણ ના આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ વિભાગના ડીન ડો.કમલ ડોડીયાના નામની જાહેરાત થાય તેવી શકયતા દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.