Abtak Media Google News

વડાપ્રધાન મોદી શુક્રવારે ઈન્દોર પહોંચ્યા છે, ઈન્દોર એરપોર્ટ પર મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે PMને આવકાર્યા હતા. ઈન્દોરમાં વડાપ્રધાન દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરૂ સૈયદના મફદ્દલ સૈફુદીનના વાઅઝ (પ્રવચન)માં સામેલ થશે. વ્હોરા સમાજના ઈતિહાસમાં એવું પહેલી વખત થઈ રહ્યું છે કે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારે આ વાતને વ્હોરા સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની કેટલી મજબૂતી છે તેનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સૈફી નગરની મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદીન સાથે મુલાકાત પણ કરશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.