Abtak Media Google News

દુ:ખિયાના બેલી પ.પૂ. શ્રી જગાબાપાના ઉત્તરાધિકારી

ભવ્ય લોકડાયરાનું આયોજન: ભજનીક જયમંત દવે, શિવરાજ ગઢવી,હરી ગઢવી તથા મહેશદાન ગઢવી આશ્રમના કવીરાજ દડુભા, સાહિત્યકાર વાઘજીભાઈ રબારી, મેરૂભાઈ રબારી, રૂષભ આહિર, રમેશદાન ગઢવી, બેન્જો માસ્તર હરેશભાઈ, તબલચી મુન્ના મહારાજ, જયસુખ સાધુ અને મંજીરાના માણીગર વાઘુભા ઝાલા ભાવીકોને મોજ કરાવશે પૂજય જગાબાપાના ઉત્તરાધિકારી પૂ. બાવેશબાપુના અવતરણ અવસરે સિતારામ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભાવિકોને ઉમટી પડવા નિમંત્રણ.

દુ:ખિયાનાબેલી, સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંત ખારગોઢાના પાટડીના ઉદાસી આશ્રમના પરમ પૂજય સંત સીરોમણી બ્રહ્મલીન શ્રી જગાબાપાના ઉત્તરાધિકારી ગાદીપતિ પૂ. ભાવેશબાપુના જન્મદિન નિમિત્તે આગામી તા.૨૯-૧૧-૨૦૧૮ને ગુરૂવારના રોજ સિતારામ પરિવાર દ્વારા અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાવિકોને ઉમટી પડવા ભકિતભાવ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

003 4‘સંત બડો પરમાર્થી’ જેવી ઉકિત જેમણે સંપૂર્ણ પણે સાર્થક કરી છે તેવા સંત શિરોમણી પૂ. જગાબાપા ભલે સદેહ હાજર નથી પરંતુ ભાવિકોનીતમામ મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. પાટડીના ઉદાસી આશ્રમ ખાતે આજે પણ જગાબાપાની જાણે સદેહ ઉપસ્થિતિ હોય તેવો અલૌકિક અનુભવ ભાવીકો કરી રહ્યા છે. બ્રહ્મલીન સંત શ્રી જગાબાપાના સમાધીના સાનિધ્યમાં હાલના ગાદીપતિ શ્રી ભાવેશ બાપુના જન્મદિનની ભકિતપૂર્ણ ઉજવણી કરવાનું આયોજન સિતારામ પરિવાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.

આગામી ૨૯મી નવેમ્બરને ગુરૂવારના રોજ પૂ. ભાવેશબાપુના અવતરણ અવસરના પાવન પ્રસંગે સિતારામ પરિવાર દ્વારા સંતવાણી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરનાં જાણીતા કલાકારો ભજનીક હરીભાઈ ગઢવી, ભજનીક મહેશદાન ગઢવી, જયમંતભાઈ દવે, શિવરાજભાઈ ગઢવી,સાહિત્યકાર વાઘજીભાઈ રબારી, મોજીલો માલધારી મેરૂભાઈ રબારી, મોજી રમકડુ રૂષભ આહિર, આશ્રમના કવીરાજ દડુભા, બેન્જો માસ્ટર હરેશભાઈ, તબલચી મુન્ના મહારાજ, જયસુખ સાધુ તથા મંજીરાના માણીગર વાઘુભા ઝાલા સહિતના નામી અનામી કલાકારો ભાવિકોને સંતવાણીમાં હરિરસ પીરસશે આ અવસરે સિતારામ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાદીપતિ પૂ. ભાવેશબાપુના જન્મદિનની ઉજવણીની સાથે સાથે પાટડીના ઉદાસી આશ્રમે ગુરૂવારે દિવસ દરમિયાન વિધિ-વિધાન તથા જોવાનું કામ ચાલુ જ રહેશે આ પાવન અવસરે ભાવીકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા પાટડી (ખારાગોઢા)નાં સિતારામ પરિવાર દ્વારા સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.