Abtak Media Google News

એમ્બેવેલીસિટી લોનાવાલા ખાતે પ્રભુદાસ લીલાધર ગ્રુપના ડાયરેકટર અમીશા નીરજ વોરાના જયજિનેન્દ્ર બંગલામાં પૂ. ધીરગૂરૂદેવની નિશ્રામાં ઉત્તરાધ્યયન સૂત્રની વાચના અને લોગસ્સ સાધનાના કાર્યક્રમમં ભાવિકોએ લાભ લીધો હતો. પૂ.ની સ્થિરતા દરમિયાન દેશ વિદેશના ભાવિકોએ દર્શનાદિનો લાભ લઈ સત્સંગથી પ્રભાવિત થયા હતા.

શાસન પ્રગતિ માસીક અંકની લોકાર્પણ વિધિ સહતંત્રી જયશ્રીબેન શાહ તેમજ હંસાબેન બગડીયા, દિનેશભાઈ ખેતાણી, મનીષાબેન રૂપલબેન, ચેતનાબેન, દિપ્તીન વગેરેના હસ્તે કરાઈ હતી. તાજેતરમાં વિહારયાત્રામાં ભાવિકો જોડાયા હતા તા.૭ના ખંડાલા ખાતે ગુણવંતભાઈ ગોપાણી, અરવિંદભાઈ પી. ગોડાના બંગલે પધાર્યા બાદ તા.૧૫ના હિંગવાલા ઉપાશ્રયે ઘાટકોપર પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.