Abtak Media Google News

અબતક,રાજકોટ

કાલાવડ રોડ પર એ.જી. ચોક નજીક સદગુરૂ કોલોનીમાં રહેતા વૃધ્ધ પ્લાસ્ટીકના પાણીના ટાંકામાં પલોઠી વાળી બેસી જળ સમાધી લઈ મોત મીઠુ કર્યું છે. બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર એ.જી. ચોકમાં આવલે સદગુરૂ કોલોનીમાં એ વિગમાં રહેતા પંકજભાઈ ભગવાનજીભાઈ દતા ઉ.63 એ પાણીના ટાંકામાં બેસી આપઘાત કર્યો છે.

બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઘટના શંકાસ્પદ લાગતા તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ચેક કરતા મૃતક ચાલીને છત પર પહોચી પગલુ ભર્યાના દ્રશ્યો કેદ થયા હતા મૃતક પોતાની જાતે છત પર ગયા હતા અને ટાંકા પાસે ચપ્પલ ઉતારી ટાંકામાં પલોઠી વાળી જળ સમાધી લીધી હતી. પોલીસે આપઘાત પાછલનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.