Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં મુજબ ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા હિંસક અથડામણમાં શહિદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના આદેશ મુજબ તા.૧૮ અને ૧૯ બે દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા સરકારની ૨.૦ના એક વર્ષ પૂર્ણ થવા બદલ વિવિધ કાર્યક્રમો વિડીઓ કોન્ફોરન્સ, સંમેલનો, વર્ચ્યુલ સભા, ઘર-ઘર સંપર્ક અભિયાન સહિતના ચાલતા રાજકીય કાર્યક્રમો બે દિવસ મુલત્વી રાખવામાં આવેલ છે. તાલુકાના બુથ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.