Abtak Media Google News

ચેરમેન પદે નલીન વસા અને વાઈસ ચેરમેન પદે જીવણભાઈ પટેલની સર્વાનુમતે વરણી

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં આગામી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ચેરમેન તરીકે નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ પટેલ બિનહરીફ ચુંટાયા છે.

શનિવારે, રાજકોટમાં ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં બેંકના ડેલીગેટ્સોની યોજાયેલી વાર્ષિક સાધારણ સભા બાદ તુરત બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની સભા પણ યોજાઇ હતી. જેમાં આ બંને સૂત્રધારો સર્વાનુમતે બિનહરીફ નિયૂક્ત યેલા જાહેર કરાયા હતા.

નલિનભાઇ વસા સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ ૧૯૯૫-૧૯૯૯ સુધી નાગરિક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે અને ૨૦૧૫થી ચેરમેન તરીકે સેવા આપે છે. આચાર, વિચાર અને ઉચ્ચારમાં સમાનતાં સાથે સરળ અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતાં નલીનભાઇ અગ્રણી ઉદ્યોગપતિ છે.

જીવણભાઇ પટેલ સહકાર ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપે છે. તેઓ ૨૦૦૪થી નાગરિક બેન્કમાં ડિરેકટર અને ૨૦૧૫થી વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. હસમુખા સ્વભાવના માલિક જીવણભાઇ અગ્રણી ઉદ્યોગપતિ છે. પૂન:નિયૂક્ત બંને મહાનુભાવો ઉપર સહકારી ક્ષેત્રના કાર્યકરો ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શુભેચ્છકો તરફી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.