Abtak Media Google News

સંતાન પ્રાપ્તની ઘેલચ્છામાં પુત્રી જેવડી ઉંમરની યુવતી સાથે મૈત્રી કરાર કરનાર પ્રૌઢ અને મૈત્રી કરાર રદ કરનાર યુવતીની ૨૪ કલાકમાં હત્યા

શહેરમાં નાના મવા નજીક શાસ્ત્રીનગર પાસે દલિત યુવતી અને કોઠારિયા રોડ ન્યુ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે કડીયા પ્રૌઢની થયેલી કરપીણ હત્યાથી સોમવાર રકતરંજીત બન્યો હતો. પોલીસે બંને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા સંતાન પ્રાપ્તીની ઘેલચ્છામાં કડીયા પ્રૌઢે પુત્રીની ઉમરની યુવતી સાથે કરેલા મૈત્રી કરાર અને દલિત યુવતીએ મૈત્રી કરાર રદ કરવાના કારણે હત્યા થયાનું બહાર આવ્યું છે.

Advertisement

કોઠારિયા રોડ પર સુર્યોદય સોસાયટીમાં રહેતા મુકેશ મોહનભાઇ વાળા નામના ૪૮ વર્ષના કડીયા પ્રૌઢને ઢેબર કોલોનીમાં રહેતા વિશાલ કાળુ ચૌહાણ નામના શખ્સે ન્યુ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું જ્યારે નવા થોરાળામાં રહેતી દિપુ ઉર્ફે દિપીકા નામની યુવતીને વિજયનગરમાં રહેતા અશ્ર્વિન પરમાર નામના શખ્સે શાસ્ત્રીનગર પાસે આવેલા જે.સી.પાર્ટી પ્લોટ પાસે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

1 1મુકેશ વાળાના ૨૧ વર્ષ પહેલાં અમિતાબેન સાથે લગ્ન થયા હતા. તેઓને સંતાન પ્રાપ્તી થઇ ન હતી. મુકેશ વાળા ઢેબર કોલોનીમાં રહેતા મુકેશ ચૌહાણના ઘરે કડીયા કામે ગયો હતો ત્યારે તેમની ૨૮ વર્ષની પુત્રી કાજલ સાથે આંખ મળી જતાં મુકેશ વાળાએ પોતાની પત્ની અનિતાને જાણ કરી સંતાન પ્રાપ્તી માટે કાજલ સાથે સાવર કુંડલા જઇ મૈત્રી કરાર કર્યા હતા.

૪૮ વર્ષના પરિણીત મુકેશ વાળાએ તેની પુત્રીની ઉમરની કાજલ સાથે મૈત્રી કરાર કરી મુકેશ વાળા, તેની પત્ની અમિતા અને કાજલ ઉંચા-નીચા કોટડા, તળાજા ફરી પરત રાજકોટ આવ્યા હતા. તે દરમિયાન કાજલના પરિવારજનો રોષે ભરાયા હોવાની જાણ મુકેશ વાળાને થતા તે બહાર ગામ ભાગી ગયો હતો.

દરમિયાન ગઇકાલે તે રાજકોટ આવ્યાની જાણ થતા વિશાલ ચૌહાણ તેને મળવા ગયો હતો એકાદ કલાક બંનેએ ઉગ્ર ચર્ચા કર્યા બાદ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે આવ્યા હતા. જ્યાં ફરી બંને વચ્ચે ઝઘડો થતા મુકેશ વાળાને વિશાલ ચૌહાણે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા મુકેશ વાળાએ પોતાના બચાવમાં વિશાલ ચૌહાણના હાથ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો.

ગંભીર રીતે ઘવાયેલા મુકેશ વાળાનું મોત નીપજતા ભક્તિનગર પોલીસે વિશાલ ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધી રૈયા રોડ પરથી ધરપકડ કરી ત્યારે તે ઘવાયેલો હોવાથી તેને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

2

નવા થોરાળાની દિપુ ઉર્ફે દિપીકાએ પાંચેક વર્ષ પહેલાં અશ્ર્વિન પરમાર સાથે મૈત્રી કરાર કરી પત્નીની જેમ સાથે રહેતી હતી અને એક પુત્રીને જન્મ પણ આપ્યો હતો. દરમિયાન એકાદ માસ પહેલાં અશ્ર્વિન અને દિપુ વચ્ચે ઝઘડો થતા મૈત્રી કરાર રદ કરી બંને અલગ રહેતા હોવાથી દિપુ ઉર્ફે દિપીકી નાના મવા રોડ પર શાસ્ત્રીનગર નજીક જેસી પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામે ગઇ હતી ત્યાં જઇ અશ્ર્વિન પરમારે છરીના ઘા ઝીંકી હત્યા કરતા તાલુકા પોલીસે અશ્ર્વિન પરમારની ધરપકડ કરી છે.

મુકેશ વાળા અને દિપુ ઉર્ફે દિપીકા પરમારની મૈત્રી કરાર કરવાના અને રદ કરવાના કારણે હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.