Abtak Media Google News

જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે શરુ કરાયેલ કેન્દ્ર દ્વારા ચિંતા, ડીપ્રેશન, આત્મ હત્યાવૃતિ, એકલતા, તણાવ, મૃત્યુ ભય, ફોબિયા, આક્રમકતા સહિતની માનસિક સમસ્યાઓનું ફોનની એક રીંગથી અપાયું માર્ગદર્શન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલ સાયકોલોજીકલ ઇન્ટરવેશન સેન્ટરમાં ફોનની પહેલી રિંગ વાગે છે… હેલ્લો આપ સહાય કેન્દ્ર માંથી બોલો છો ? મારે 5 કિલો ખાંડ, 5 કિલો ચોળી, દાળ, મરચું, તેલ જોઈએ છીએ જલ્દી મોકલજો…

આવો જ એક કોલ આવે છે… મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર? ત્યાં તમે શું કરો? ભુખ લાગી હોય કઈ ખાવાનું મળશે? જેને ભુખની ચિંતા હોય ત્યારે તમારી વાતો કોઈ માનશે? આ તો માત્ર જાણવા ખાતર જ ફોન કર્યો છે. મને કોઈ સમસ્યા નથી પણ સારું લાગ્યું કે વહીવટી તંત્રએ આ પગલું ભર્યું. બસ તેની વધામણી માટે ફોન કરેલ. અભિનંદન.

લોકોએ લોકડાઉન અને ત્યારબાદ ચિંતા, ડીપ્રેશન, આત્મ હત્યાવૃતિ, એકલતા, તણાવ, મૃત્યુ ભય, ફોબિયા, આક્રમકતા સહિતની માનસિક સમસ્યાઓ સાથે 25000 થી વધુ ફોન કરી માંગી હતી મદદ.

કોરોના મહામારીને કારણે અકલ્પનીય પરિસ્થિતિ છેલ્લા એક વર્ષમાં સર્જાઈ. કોરોનાના પ્રારંભે સાથે એક અણધારી, કપરી અને વિકટ પરિસ્થિતિએ લોકોને એક ભયના માહોલમાં મૂકી દીધા હતાં. કોરોનાની શારીરિક અસર કરતા માનસિક અસરો વધુ થશે એ વિચાર સાથે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને 24 માર્ચે બેઠક બોલાવી હતી અને તા. 26 માર્ચ 2020થી મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રનો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડો. જનકસિંહ ગોહીલ અને તેમની ટીમ, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સરકારી સલાહકારોના સંયુક્ત ઉપક્રમે પ્રારંભ કરાયો હતો.

કાઉંસેલિગ પ્રક્રિયા વિષે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સટીના અધ્યક્ષ ડો. જોગાસણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર વતી પાંચ અલગ અલગ નંબરો લોકો સુધી પહોચતા કરવામાં આવ્યા હતાં. સવારે 8 વાગ્યાથી ફોન કરી લોકો પોતાની સમસ્યાઓ ઠાલવતા અને ક્યારેક રાત્રે 12 વાગ્યા સુધી પણ કાઉન્સેલિંગ ચાલતું. એક રીતે જોઈએ તો બાળકથી શરુ કરીને વૃદ્ધો સુધી દરેક લોકોએ ઘણી માનસિક સમસ્યાઓ અનુભવી. અબાલવૃદ્ધ સહુ કોઈનું કાઉન્સેલિંગ કરવામાં આવતું. ખાસ કરીને કોરોના પોઝિટિવ લોકો, તેના કુટુંબીજનો, હોમ કોરોન્ટાઈન, ફેસેલીટી કોરોન્ટાઈન, ઘરથી દુર  ફસાયેલા લોકો,સમરસ હોસ્ટેલમાં રહેલ દર્દીઓ, વિદ્યાર્થીઓ જે ઘરથી દુર ફસાયેલ હતા, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના એ દરેક નાગરિક સુધી સેવા પહોચી જ્યાં માનસિક સધિયારાની જરૂર હતી.

હેલ્પ લાઈન પર કેવા પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે લોકો સંપર્ક સાધતા હતા તે અંગે ડો. યોગેશે જણાવ્યું હતું કે, કોરોનાને લીધે શારીરિક કરતા માનસિક સમસ્યાઓનો સહુથી વધુ લોકોએ સામનો કર્યો. લોકો  ચિંતા, ડીપ્રેશન, આત્મ હત્યાવૃતિ, એકલતા, તણાવ, અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ, મૃત્યુ ભય, ફોબિયા, જાતિય વિકૃતિ, આક્રમકતા વગેરે માનસિક સમસ્યાઓનો લોકો ભોગ બન્યા હતા. જેનું પ્રોપર કાઉન્સેલિંગ ટીમ દ્વારા કરવામાં આવતું.

121 1

લોકોની કઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવતું તે અંગે અધ્યક્ષ જણાવે છે કે, કાઉન્સેલિંગમાં સહુથી જરૂરી પણ સહુથી અઘરું કામ એ લોકોની સમસ્યાઓ જાણવાનું હોય છે. એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિઓનો સામેથી સંપર્ક કરી તેની દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવતી જેમ કે તેમને કોઈ શારીરિક બીમારી છે?, કોઈ પ્રકારની દવા લે છે?, રાત્રે ઊંઘ આવી જાય છે?, કેવા પ્રકારના વિચારો અને આવેગો અનુભવે છે? વિવિધ પ્રકારના પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરી રાજકોટ કલેક્ટર ઓફીસ થકી સંપર્ક સાધવામાં આવતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલ સાયકોલોજીકલ ઇન્ટરવેશનસેન્ટરમાં 13,000 હોમ કોરોન્ટાઈન અને કોરોનાના દર્દીઓને સલાહ આપી. 450થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્ય માંથી રાજકોટ આવવાની સમસ્યાઓ ધરાવનાર, 9800 સ્વાસ્થ્ય કર્મીઓ, સ્ટાફ, આમ આશરે 25,630થી વધુ લોકોને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શનમાં માનસિક સધિયારો આપવામાં આવ્યો.

આ પ્રવૃર્તીને આગળ વધારતા યુનીવર્સીટીમાં સેન્ટરકાર્યરત કરાયુ.જેમા વિવિધ ભવનના તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો. સામેથી પણ બહુ લોકોએ પોતાની વેદના અને વ્યથાઓ  ઠાલવી. મનોવિજ્ઞાન ભવનમાં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 રૂબરૂ સલાહ માટે લોકો આવે છે તેમજ ભવનના નંબર 0281-2588120 પર ટેલીફોનિક કાઉન્સેલિંગ કરવમા આવી રહ્યા હોવાનું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું છે.આ કેન્દ્રના મુખ્ય સલાહકારતરીકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષડો. યોગેશ જોગસણ અને તેમ નામાર્ગદર્શનની ચેમનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોડો. ધારાદોશી, ડો. ડીમ્પલરામાની, ડો.હસમુખચાવડા, ભવનનાવિદ્યાર્થી ઓસેવાપૂરી પાડતા હતા.આ પ્રવૃતીથી પ્રેરાઈ બોટાદ, વડોદરા સહીત અન્ય શહેરોમાં કાઉન્સેલિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા હતાં.

લોકડાઉનમાં લોકો વ્યક્ત કરતા હતા આવી સમસ્યાઓ…

  • 135નો માવો નહિ મળે તો ચેન નહિ પડે. તમે ગમે તે કરો મને માવાની ગોઠવણ કરી આપો. હું તેનાથી જ માનસિક મજબુત થઈ જઈશ.
  • મારા પતિને દારૂ પીવાની ટેવ છે, પણ હાલમાં જયારે એને કઈ મળતું નથી તો તે સેનેટાઈઝર અને કફ સીરપ ભેગું કરીને પીવે છે. કોઈનું કઈ માનતા નથી તમે અમારી મદદ કરો.
  • હું નર્સ તરીકે અત્યારે કામ કરી રહી છુ. સતત કોવીડ ની ફરજ હોવાના કારણે હું ઘરે જઈ શકતી નથી. પણ જયારે ઘરે જાવ ત્યારે પાડોશીઓ ખુબ ખુશ થાય અને કોરોના વોરીયર્સ તરીકે બિરદાવે પણ સાસુ અને પતિ શંકા અને મહેણા મારે. મારે શું કરવું? નોકરી મૂકી દેવી કે શરુ રાખવી? કઈ સમજાતું નથી.
  • મારા ભાભી અને મમ્મી સતત મારા નાના ભત્રીજાને ગરમ પાણીથી નવડાવે છે કેમ કે એને કોરોનાની બહુ બીક છે. મને બીક લાગે છે કે મારા ભત્રીજાને કઈ થઈ ન જાય.
  • મારા પપ્પા સતત અમને કોરોનાથી બચવા ઉકાળા પીવડાવ્યા કરે છે. આ ઉકાળાથી મને શરીરમાં બહુ તકલીફ થાય છે પણ એ સમજવા જ તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.