Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પાવન નિશ્રામાં

અધતન શેડનું જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયા અને મુંબઈના પ્રાણલાલ શાહના સહયોગથી નવનિર્માણ પાંજરાપોળમાં ૫૦૦૦ જેટલા પશુ-પક્ષીઓનો નિભાવ: સેવાભાવીઓ ‘અબતક’ના આંગણે

રાષ્ટ્રસંત નમ્રમૂનિ પાવન નિશ્રામાં સદી પુરાણી રાજકોટ મહાજનની પાંજરાપોળ દ્વારા બિમાર પશુઓ માટેના બે નવનિર્મિત શેડનું રવિવારે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયા તથા મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ પરિવારના સહયોગથી અધતન શેઠનું નવનિર્માણ થયું છે.

Advertisement

‘જીવતા જગતીયું’ આ શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. પણ રાજકોટ અને મુંબઈના બે જીવદયાપ્રેમીએ ‘જીવતા જગતીયું’ શબ્દને ગરીમા બક્ષતું કામ કર્યું છે. અને આ બંને જીવદયાપ્રેમીએ જીવતા જીવ સ્વહસ્તે પોતાની સંપતિમાંથી એક મોટો હિસ્સો ગૌમાતા માટે ફાળવી રાજકોટની સદી પુરાણી ખ્યાતનામ પાંજરાપોળમાં બિમાર પશુ માટે બે અધતન શેડ બનાવી આપી સમાજ માટે નવો દાખલો બેસાડયો છે.

રાજકોટમાં બિરાજમાન રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજની નિશ્રામાં આગામી તા.૧૪.૧૦ રવિવાર સવારે ૯.૩૦ વાગ્યે આ બંને દાતાઓ દ્વારા રાજકોટ મહાજનની પાંજરાપોળ ખાતે નિર્માણ પામેલ બિમાર પશુઓમાટે બે અધતન શેડનું ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે.2 70રાજકોટ મહાજનની પાંજરાપોળ એટલે જીવદયાનું મંદિર છેલ્લા ૧૨૧ વર્ષ કરતા વધુ સમયથી અનાથ અને બિમાર પશુઓનું આશ્રયસ્થાન પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે ખાસ બે અધતન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડમાં બિમાર પશુઓની સારવાર અર્થે પશુ સાતાપૂર્વક રહી શકે તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખી સવલતો ઉભી કરવામાં આવી છે.

સદી જુની રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ૫૦૦૦ કરતા વધુ પશુ પક્ષીનો નિભાવ થાય છે. બિમાર અને અશકત પશુઓ માટે મોટી સંખ્યામાં છે. બિમાર પશુની તમામ પ્રકારની સારવાર માટે પાંજરાપોળ દ્વારા જ પશુ ચિકિત્સાલય ચલાવાય છે. જેમાં ફૂલટાઈમ પશુ ડોકટર અને અનુભવી સ્ટાફ સેવા આપે છે. બિમાર પશુઓ માટે વર્ષો જુના છ શેડ છે જેમાંથી બે શેડનું દાતાઓનાં સહયોગથીનવનિર્માણ કરવામાં આવ્યું છે.

નવનિર્મિત બંને શેડના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ ખાસ નિશ્રા પ્રદાન કરશે અને તેમના મુખેથી જીનવાણી ‚પી આશિર્વચન આપશે. પાંજરાપોળ ખાતે તા.૧૪.૧૦ રવિવારે સવારે ૯.૩૦ કલાકે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં સંતો સાધ્વીજી ભગવંતો અને સમાજના દરેક વર્ગના આગેવાનો, ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાજનની પાંજરાપોળ સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા મેનેજર અ‚ણભાઈ દોશી સહિતના આગેવાનોએ સમસ્ત સમાજને જીવદયાના આ યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.