Abtak Media Google News

રાજકોટ સમાચાર

ગત રાત્રીના રાજકોટમાં વ્યાજખોરીએ યુવકનો ભોગ લીધો છે . વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી મામલે વ્યાજખોરો દ્વારા યુવાનના પિતા ઉપર હૂમલો કરાયો હતો . પિતાને બચાવવા જતા પુત્ર સૂરજ ઠાકરને આરોપીઓએ છરીના ઘા ઝીંકી દીધા હતા. તેજસ ઠાકરે વ્યાજખોરો પાસેથી રૂપિયા 20 હજાર લીધા હતા . આ હુમલામાં યુવકના માતા પણ ઈજાગ્રસ્ત બન્યા છે.

ઘાયલ સૂરજ ઠાકરને હોસ્પીટલ લઈ જવામાં આવેલો હતો . જ્યાં ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો . સમગ્ર ઘટનાને પગલે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કાફલો દોડી ગયો હતો .  હત્યાના આરોપીઓ ફરાર થતા તેને પકડવા પોલીસ ચક્ર ગતિમાન કર્યા હતા . મૃતક સૂરજ ઠાકરના પરિવારે કરી ન્યાયની માંગ કરી છે . આરોપી કમલેશગીરી ગોસાઈ અને આરોપી પુત્ર જીગર ફરાર છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.