Abtak Media Google News

પાણીપુરીમાં વપરાતા તીખા તથા મીઠા પાણીના નમૂના લેવાયા: ચારને નોટિસ

જો તમે હોંશભેર પાણીપુરી આરોગતા હોય તો હવે ચેતી જવાનો સમય આવી ગયો છે. કારણ કે શહેરમાં શેરી-શેરીએ વેંચાતી પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની ગઇ છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પાણીપુરીના ધંધાર્થીઓને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 57 કિલો દાઝીયા તેલ અને વાસી બટેટાના મસાલાના જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી તીખા-મીઠા પાણી સહિત આઠ ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા.

આજે શહેરના લલુડી વોંકળી વિસ્તારમાં દિપક પાણીપુરીમાં ચેકીંગ હાથ ધરાતા 30 કિલો દાઝીયું તેલ અને પાંચ કિલો બટેટાનો મસાલો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરી યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. મહાદેવ પાણીપુરીમાં ચેકીંગ દરમિયાન પાણીપુરીનું 15 કિલો વાસી પાણી અને 7 કિલો અખાદ્ય બટેટાના મસાલા સહિત 22 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરી નોટિસ આપવામાં આવી હતી.

સોરઠિયા વાડી સર્કલ પાસે રાજ પાઉંભાજીમાં પાંચ કિલો અખાદ્ય અને કાપેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો અને નોટિસ આપવામાં આવી છે. જ્યારે નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગ પાસે હાઉસ ઓફ સ્નેકમાં ચેકીંગ દરમિયાન 15 કિલો દાઝીયું તેલ અને બે કિલો વાસી પાસ્તા સહિત 17 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી.

અહિંથી પાણીપુરીનું તીખું પાણી અને મીઠા પાણીના નમૂનો લેવાયો હતો. પ્રમુખ ઢોસા હબમાંથી લૂઝ સાંભાર, નાના મવા મેઇન રોડ પર શિવધારા ફૂડમાંથી અતુલ બેકરીની રીચ પીસ્તા કૂકીઝ અને કેક રસ, હંસરાજનગર મેઇન રોડ પર પૂજા એન્ટરપ્રાઇઝ, શ્રીજી બેસન એન્ડ ફ્લોર મિલ્કમાંથી રવો, મેંદો અને સોજીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.