Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે ચોથા દિવસે પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.

ભાવનગર,જામનગર,ગાંધીનગર,સુરતમાં કુલ થઇ 4000 જેવા તબીબો હડતાલ પર ઉતર્યા છે ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે ઉપરાંત ગત કાલે ભાનગર અને જામનગરમાં પીજી,હોસ્પટલમાં રહેતા તબીબોને તાત્કાલિક ધોરણે રૂમ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા ને સાથો સાતગ જામનગરમાં તબીબોના રૂમ ઇલેક્ટ્રીસીટી કાપી લેવામાં એવું હતી અને પાણીની લાઈનો બંધ કરવાના આવી હતું સાથે આજ રોજ રાજકોટમાં હોસ્ટેલમાં રહેતા 30 તબીબોને  રૂમ ખાલી કરવા માટેની નોટિશ આપવામાં આવી છે.

જેથી લાગી રહ્યું છે કે આ હડતાલ સોમવારથી વધુ ઉગ્ર બની શકે છે  હડતાળ પર ઉતરેલા ડોક્ટરોના મતે જ્યારે સિવિલ હોસ્પિટલમાં તેમની નિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે ત્યારે જો તેઓની માંગ નહિ સંતોષાય તો એ પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.હાલ જયારે બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત છે અને તબીબો તેમની માંગ પર અડગ ત્યારે સરકાર દ્રારા તબીબી પર દબાણ લાવવા આકરા પગલા લેવાનુ શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જો તબીબોની માંગ નહીં સંતોષાય તો આગામી સોમવારથી આ આંદોલન ઉગ્ર બની શકે છે.

Screenshot 2 21

બોન્ડેડ તબીબોની માંગરેસિડેન્ટ તબીબોની માંગ 
ઠરાવ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન મળેૈ
સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાયઅન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
અન્ય રાજ્યોની મારફત એસઆર વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

ડોક્ટરની હડતાલ અયોગ્ય : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજ રોજ આવેદન આપવામાં આવ્યું છે કે, રેસિડેન્ટ તબીબોની માંગ અયોગ્ય છે.સાથો સાથ ગત કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે.તંત્ર દ્વારા હડતાલ તોડવા ભીંસ વધારવામાં આવી રહી છે ત્યારે આ નિવેદન બાદ તબીબોની હડતાલ વધુ ઉગ્ર બનશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.