રાજકોટનાં જડેશ્ર્વર વેલનાથ સોસાયટીની સગીરાનું અપહરણ થતા સગીરાના પરિવારજનોએ જેતપુરનાં શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોધખોળ હાથધરી છે. આ અંગેની વિગત મુજબ વેલનાથ સોસાયટીમાં રહેતા અને ચાની કેબિન ધરાવતા સગીરાનાં પિતાએ આજીડેમ પોલીસ મથકમાં પોતાની ૧૭ વર્ષીય દીકરી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગત ત્રીજી તારીખે ચાની કેબિને નીકળી ગયા બાદ પત્નીનો ફોન આવ્યો હતો કે તેમની ૧૭ વર્ષીય પુત્રી મળતી નથી. આ સાંભળી હું ઘરે પહોંચ્યો હતો. તપાસ કરતા પુત્રી નવેરામાંથી નીકળી નદીનાં પુલ તરફ ગઈ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ પછી મેં અનેક સ્થળે શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી નહોતી. પરત ઘરે આવીને દીકરીનો કબાટ ચેક કરતા તેમાંથી એક ફોન અને સીમકાર્ડ મળ્યું હતું જયારે કબાટની બાજુમાં આવેલી શેટ્ટીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખેલું હતું કે, જેતપુરનાં અજુ પરમારે મારી જિંદગી બગાડી નાખી છે. આ ચિઠ્ઠીમાં વિજય નામનો પણ ઉલ્લેખ કરતા લખાયું હતું કે, તે મારો મિત્ર છે એટલે તેને હેરાન ન કરતા. આમ અજુ પરમાર સામે આક્ષેપ થતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ