Abtak Media Google News

આઠ દાયકાથી અણનમ પઢાર લોક નૃત્ય 2006માં લુપ્તતાના આરે પહોચી ગયું હતુ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા માં રાણાગઢ નામનું એક ગામ આવેલું છે આમ તો સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડા નો વિસ્તાર એટલે રાણાગઢ ગામ ગણી શકાય ત્યારે આ રાણાગઢ ગામ માં મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી અને પશુપાલન છે ત્યારે ખાસ કરી રાણાગઢ ગામમાં પઢાર સમાજ પણ વસવાટ કરે છે તેને રાણાગઢ ગામનો તાલુકો લીમડી લાગે પરંતુ વિધાનસભાના મત વિસ્તારમાં રાણાગઢ ગામ પાટડી મતવિસ્તારમાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાના ગામો પૈકીનું એક ગામ રાણાગઢ ગણી શકાય.

Advertisement

ત્યારે આ નાના એવા રાણાગઢ ગામે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે ત્યારે રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ખાસ કરીને રાણાગઢ ગામમાં હરિભાઈ લાલાણી પોતે શિક્ષકના વ્યવસાયમાં જોડાયેલા છે પરંતુ કલા પ્રત્યે તેમનો પ્રેમ અવિરત છે. ત્યારે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે પોતે શિક્ષકના વ્યવસાય ઉપરાંત પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી પણ ગામમાં તે ચલાવી રહ્યા છે અને નૃત્ય રાસ મંડળીનું અસ્તિત્વ તેમના દ્વારા ટકાવવામાં આવ્યું છે.

Screenshot 3 10

ત્યારે ખાસ કરીને પઢાર મંજીરા નૃત્ય એ વર્ષો જૂનું નૃત્ય અને કલાનો એક ભાગ છે અને રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પરંપરાગત રીતે છેલ્લા 80 વર્ષ થી આ નૃત્ય કલા કરવામાં આવી રહી છે ત્યારે એક સમય 2006 માં એવો આવ્યો કે સમગ્ર ભારતમાંથી પઢાર મંજીરા નૃત્ય ની કલા લુપ્ત થવા લાગી અને તે પઢાર સમાજનો યુવા વર્ગ છે તે આ નૃત્ય જાણે ભૂલી ચૂક્યો હોય તેવો સમય 2006 માં આવ્યો પરંતુ લીમડી તાલુકાના રાણાગઢ ગામે વસવાટ કરતા હરિભાઈ દ્વારા આ કલા લુપ્ત ન થાય અને ભારત દેશમાં આ કલાનું નામ જળવાઈ રહે તેવા પ્રયાસ હાથ ધરી અને રાણાગઢ ગામે 22 લોકોની મંડળી સ્થાપવામાં આવી. અને આ નૃત્ય યુવા વર્ગ સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા થોડા વર્ષોમાં પઢાર સમાજના યુવકો પણ આ મંડળી સાથે જોડાયા અને જે પરંપરાગત બધા સમાજનું મંજીરા નૃત્ય છે તેના કલા વિશે માહિતગાર પણ થયા. એટલે જે આ કલા 2006 ના વર્ષમાં લુપ્ત થવાની હતી પરંતુ હરિભાઈએ આ કલાનો વારસો યુવા વર્ગને પણ આપ્યો અને આ કલા પઢાર સમાજમાં ટકી રહી ત્યારે આ કલા ભારતમાં ટકાવી રાખવા બદલ હરિભાઈ અને તેમની મંડળીનું રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે અને કલા ક્ષેત્રે હજુ પણ પઢાર સમાજના વધુને વધુ યુવકને આ કલા વિશે માહિતગાર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

રાણાગઢ ગામ ની પઢાર મંડળી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ અનેક રાષ્ટ્રપતિ સમક્ષ મંજીરા નૃત્યની કલા બતાવી ચૂક્યા છે.સુરેન્દ્રનગરની લીમડી નજીક રાણાગઢ ગામ આવેલું છે ત્યાં ખાસ કરી પઢાર સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે પઢાર સમાજનું મુખ્ય નૃત્ય એ મંજીરા નૃત્ય છે અને આ વર્ષો જૂની રાણાગઢ ગામેથી મંજીરા નૃત્ય ની કલા બહાર આવી રહી છે ત્યારે 80 વર્ષથી આ કલા રાણાગઢ ગામના લોકોમાં વિકસિત હોય તેવું વડવાઓ પાસેથી જાણવા મળી રહ્યું છે ખાસ કરીને રાણાગઢ ગામની જે પઢાર મંડળી આવેલી છે તે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ અનેક રાષ્ટ્રપતિ સમક્ષ પણ રાણાગઢ ગામની પઢાર મંડળી દ્વારા મંજીરા નૃત્યની લોકકલા દેખાડવામાં આવી છે પરંપરાગત રીતે રાણાગઢ ગામે મંજીરા નૃત્યની લોકકલા પઢાર સમાજને લોક વારસા માં મળી રહી છે. અને હાલની પરિસ્થિતિ મુજબ પણ રાણાગઢ ગામના 22 યુવકો દ્વારા આ લોકનૃત્યની મંડળી ચલાવી અને પઢાર મંજીરા નૃત્ય કલાને ટકાવી રાખવામાં આવી છે.

80 વર્ષ જૂની આ નૃત્ય કલા 2006 ભારતભરમાંથી લુપ્ત થવાના આરે હતી પણ રાણાગઢ ગામની આ મંડળીએ આ કલાને ફરી ભારતભરમાં વિકસાવી

80 વર્ષથી પઢાર સમાજ દ્વારા પઢાર મંજીરા નૃત્ય ની લોક કલા કરવામાં આવી રહી છે ત્યારે 2006 નો વર્ષ નો સમય  એવો આવ્યો કે સમગ્ર ભારતમાંથી આ કલા લુપ્ત થઈ ગઈ ફક્ત રાણાગઢ ગામે ના યુવકોને પરંપરાગત રીતે આ કલા વારસામાં મળી ત્યારે ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈએ ગામના યુવા વર્ગને આ મામલે પ્રેરિત કર્યા અને આ કલાક ઉપર હાથ અજમાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું અને ફરીથી સમગ્ર દેશમાં રાણાગઢ ગામની રાસ મંડળી એ પઢાર મંજીરા નૃત્યની લોકકલાને ટકાવી રાખી ત્યારે આ બાબતની જાણ રાષ્ટ્રપતિ ને થતા રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને  ધરજીયા શંકરભાઈ હકાભાઇ નું સન્માન પણ કરવામાં આવ્યું છે.

કલા મહાકુંભ માં પણ રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી રાજ્ય લેવલે પ્રથમ ક્રમે આવી હતી

સુરેન્દ્રનગરના નળકાંઠાના રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા કલાનો વારસો ટકાવી રાખવામાં આવ્યો છે ત્યારે છેલ્લા 80 વર્ષથી આ કલા અવિરત રીતે પરંપરાગત રીતે શરૂ રાખવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા જે કલા મહાકુંભ નું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે રાણાગઢ ગામની આ મંજીરા નૃત્ય રાસ મંડળી પણ આ કલા મહાકુંભમાં ભાગ લઈ અને પોતાની કલાનો બે નમુન નજારો લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો ત્યારે આ મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી એ પ્રથમ ક્રમક મેળવી અને ત્યાં પણ રાણાગઢ ગામનું નામ રોશન કર્યું હતું. જે બદલ સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ મંડળીનું નૃત્ય નિહાળી ચુક્યા છે તેમના દ્વારા પણ રણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીની કલાને બિરદાવવામાં આવી હતી

રાણાગઢ ગામના પઢાર સમાજ દ્વારા પઢાર મંજીરા નૃત્યની કલા અને વારસો ટકાવી રાખવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને રાણાગઢ ગામના 22 લોકો દ્વારા આ મંડળી ચલાવવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ મંડળીનું નૃત્ય નિહાળી ચૂક્યા છે અને રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પોતાની કલાનો બે નમુન નજારો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ કલા જોઈ અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પણ મંજીરા નૃત્ય રાસ મંડળી ના ખેલૈયાઓ ની કલાને બીરદાવામાં આવી હતી અને આ કલા ટકાવી રાખવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા ત્યારે લુપ્ત થતી જતી પઢાર મંજીરા નૃત્ય ની કલા ખરા અર્થમાં રાણાગઢ ગામના પઢાર સમાજ દ્વારા ટકાવી રાખવામાં આવી છે જેને લઇ અને રાષ્ટ્રપતિ દ્વારા પણ તેમની કલાની કદર કરી અને તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.