Abtak Media Google News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડીયમ ખાતે  રમાય રહેલી  સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચેની  ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ ડ્રોમા પરિણામી છે. અણનમ  243 રનની ઈનીંગ  રમનાર  ટીમ ઈન્ડીયાના આધારભૂત બેસ્ટમેન  ચેતેશ્ર્વર પુજારાના મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો  હતો.  પ્રથમ દાવની લીડના આધારે  સૌરાષ્ટ્રને ત્રણ પોઈન્ટ આપવામાં આવ્યા છે જયારે ઝારખંડને માત્ર એક પોઈન્ટથી સંતોષ માનવો પડયો હતો.

પ્રથમ દાવની લીડના આધારે  સૌરાષ્ટ્રને  મળ્યા ત્રણ પોઈન્ટ

ટોસ જીતી પ્રથમ ફિલ્ડીગ લેનાર  સૌરાષ્ટ્રે ઝારખંડને  પ્રથમ  દાવમાં  માત્ર   142 રનમાં  ઓલઆઉટ કરી દીધુ હતુ જેના જવાબમાં  સૌરાષ્ટ્રે  પોતાના પ્રથમ દાવમાં  ચેતેશ્ર્વર પુજારાના અણનમ  243 રન અને  પ્રેરક માંકડના અણનમ 104 રનની મદદથી  ચાર વિકેટના ભોગે   578 રન બનાવી દાવ ડીકલેર કરી દીધો હતો.

આજે  મેચના અંતિમ દિવસે  ઝારખંડે ત્રણ વિકેટના ભોગે  223 રન બનાવી  લીધા હતા.  દરમ્યાન  મેચ  નિશ્ર્ચિત પણે ડ્રો તરફ આગળ જઈ રહ્યો હોય બંને. ટીમના કેપ્ટને  મેચ  પુૂરો કરવાની  સહમતી આપી હતી.

સૌરાષ્ટ્રે પોતાના  પ્રથમ દાવમાં  લીડ હાંસલ કરી હોય તેને    નિયમ મુજબ  ત્રણ પોઈન્ટ પ્રાપ્ત થયા હતા. જયારે ઝારખંડને માત્ર એક પોઈન્ટ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે   ગત  વર્ષે  રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ  ચેમ્પ્યન બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.