Abtak Media Google News

માસીજીના ઘરે જવા છત પરથી જતા શખ્સને  ટપારતા  છરીથી હુમલો કરી ઢીમઢાળી દીધું

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ધાબા ઉપર નીકળવા બાબતે ટપારતા   જેનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો   કરી કરપીણ હત્યા નિપજાવ્યાની  પાડોશીના  સગા સામે ફરિયાદ નોંધાય છે. આ બનાવની   જાણ થતા રાણપુર  પોલીસ મથકના  પીએસઆઈ  સહિતનો  સ્ટાફે દોડી જઈ નાશી છૂટેલા હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર  નજીક ઉમરાળા ગામે રહેતા મેહુલ  વશરામભાઈ બાવળીયા નામનો 27 વર્ષિય યુવાનની   પાળીયાદ ગામે રહેતો  વિજય વશરામ સાકરીયા નામના શખ્સે છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધાની મૃતક મેેહુલના પિતા વશરામભાઈ બચુભાઈ બાવળીયાએ રાણપુર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક  તપાસમાં  આરોપી વિજય વશરામ  સાકરીયા  તેના માસાજીના ઘરે જવા માટે મૃતક  મેહુલ બાવળીયાના ધાબા પરથી જતો હોય જે અંગે મેહુલ બાવળીયાએ વિજય વશરામ સાકરીયાને  ટપારતા જે અંગેનો ખાર રાખી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.

પોલીસે વિજય  વશરામ  સાકરીયા સામે હત્યાની કલબ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા  તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.